નવી દિલ્હી:લાંબા સમયથી રમત પ્રશાસક અને દિલ્હી ફૂટબોલના પ્રમુખ શાજી પ્રભાકરન શનિવારે અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશનના (All India Football Federation ) નવા જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. AIFFની નવી રચાયેલી એક્ઝિક્યુટિવ કમિટીએ આ નિમણૂક કરી છે. AIFF પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં શુક્રવારે કલ્યાણ ચૌબેએ ભાઈચુંગ ભૂટિયાને 33-1થી હરાવ્યા હતા. ચૌબેની અધ્યક્ષતામાં મળેલી કારોબારી સમિતિની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના નવા જનરલ સેક્રેટરી શાજી પ્રભાકરન - शाजी प्रभाकरन चुने गए एआईएफएफ के महासचिव
ફૂટબોલ દિલ્હીના પ્રમુખ શાજી પ્રભાકરનને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ના જનરલ સેક્રેટરી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પ્રભાકરે શુક્રવારે યોજાયેલી AIFFની ચૂંટણીમાં ભાગ લીધો ન હતો. All India Football Federation,
![ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના નવા જનરલ સેક્રેટરી શાજી પ્રભાકરન ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના નવા જનરલ સેક્રેટરી શાજી પ્રભાકરન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16281292-thumbnail-3x2-.jpg)
પ્રભાકરનના નામની ભલામણ :ચૌબેએ મહાસચિવ પદ માટે પ્રભાકરનના (Shaji Prabhakaran appointed General Secretary ) નામની ભલામણ કરી હતી, જેને સભ્યોએ સર્વાનુમતે સ્વીકારી હતી. AIFFએ એક નિવેદનમાં આ જાણકારી આપી. પ્રભાકરન, જે એઆઈએફએફમાં ફેરફારની માંગ કરી રહેલા જૂથના નેતાઓમાંના એક હતા, તેમણે ચૂંટણી લડી ન હતી. સભ્યોનું સ્વાગત કરતાં ચૌબેએ કહ્યું કે, "આ પ્રથમ વખત છે જ્યારે માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર છ ભૂતપૂર્વ અનુભવી ખેલાડીઓ સમિતિનો ભાગ છે."
શિસ્ત એ સફળતાની ચાવી :"આપણે સાથે મળીને કામ કરવું પડશે અને વ્યક્તિગત અહંકાર ભારતીય ફૂટબોલને આગળ લઈ જવાના અમારા ધ્યેયના માર્ગમાં ન આવવો જોઈએ," તેમણે કહ્યું. શિસ્ત એ સફળતાની ચાવી છે અને આપણે જવાબદાર બનવું પડશે.