ગુજરાત

gujarat

By

Published : May 18, 2023, 10:28 AM IST

Updated : May 18, 2023, 11:50 AM IST

ETV Bharat / bharat

SC Verdict On Jallikattu: જલ્લીકટ્ટુ અને બળદગાડાની રેસને કાયદેસર રીતે મંજૂરી, સુપ્રીમે કરી સ્પષ્ટતા

સર્વોચ્ચ અદાલતે અગાઉ રાજ્યમાં જલ્લીકટ્ટુના કાર્યક્રમો અને દેશભરમાં બળદગાડાની રેસમાં બળદના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના તેના 2014ના નિર્ણયની સમીક્ષાની માંગ કરતી તમિલનાડુ સરકારની અરજીને ફગાવી દીધી હતી. ત્યારબાદ તમિલનાડુ અને મહારાષ્ટ્રે કેન્દ્રીય કાયદા, પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960માં સુધારો કર્યો અને અનુક્રમે જલ્લીકટ્ટુ અને બળદગાડાની રેસને કાયદેસર રીતે મંજૂરી આપી.

SC verdict on Jallikattu: બુલ-ટેમિંગ સ્પોર્ટ 'જલ્લીકટ્ટુ'ને મંજૂરી આપતા કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આજે
SC verdict on Jallikattu: બુલ-ટેમિંગ સ્પોર્ટ 'જલ્લીકટ્ટુ'ને મંજૂરી આપતા કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આજે

નવી દિલ્હી: તામિલનાડુ અને મહારાષ્ટ્ર સરકારના કાયદાને પડકારતી અરજીઓના સમૂહ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં આ અરજીઓમાં તમિલનાડુ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા 'જલ્લીકટ્ટુ' અને બળદગાડાની રેસને મંજૂરી આપવાના કાયદાને પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ કેએમ જોસેફ, અજય રસ્તોગી, અનિરુદ્ધ બોઝ, હૃષિકેશ રોય અને સીટી રવિકુમારની પાંચ જજોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં સર્વોચ્ચ અદાલતે તામિલનાડુના કાયદાને સમર્થન આપ્યું છે. રાજ્યમાં બળદને કાબૂમાં રાખવાની રમત 'જલ્લીકટ્ટુ'ને મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટ કહ્યું કે, પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ (તમિલનાડુ એમેન્ડમેન્ટ) એક્ટ, 2017, પ્રાણીઓની પીડા અને વેદનાને નોંધપાત્ર રીતે ઘટાડે છે.

જલ્લીકટ્ટુ'નું કોઈ સાંસ્કૃતિક મૂલ્ય: તમિલનાડુ સરકારે 'જલ્લીકટ્ટુ'ના આચરણનો બચાવ કર્યો છે. રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં પોતાનું સ્ટેન્ડ રાખતા કહ્યું કે, રમતગમતનું સંગઠન એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે. સરકારે કહ્યું કે 'જલ્લીકટ્ટુ'ની ઘટનામાં બળદો પ્રત્યે કોઈ ક્રૂરતા નથી. રાજ્યએ સર્વોચ્ચ અદાલતને કહ્યું કે, તે ખોટી માન્યતા છે કે 'જલ્લીકટ્ટુ'નું કોઈ સાંસ્કૃતિક મૂલ્ય નથી. કારણ કે તે એક રમત છે અને તે લોકોનું મનોરંજન કરે છે. રાજ્ય સરકારે આ મામલે પોતાનું વલણ રાખતા પેરુ, કોલંબિયા અને સ્પેન જેવા દેશોના ઉદાહરણ આપ્યા.

સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ: આ દેશમાં આખલાની લડાઈને તેમના સાંસ્કૃતિક વારસાનો એક ભાગ માને છે. તમિલનાડુ સરકારે કહ્યું કે 'જલ્લીકટ્ટુ'માં સામેલ ખેડૂતો વર્ષોની મહેનતથી ઘોડા તૈયાર કરે છે. અગાઉ, સર્વોચ્ચ અદાલતે તમિલનાડુ સરકારને પૂછ્યું હતું કે, શું જલ્લીકટ્ટુ જેવી રમતમાં માણસોના મનોરંજન માટે પ્રાણીનો ઉપયોગ કરવો યોગ્ય છે. આ રમત બળદની મૂળ જાતિના સંરક્ષણમાં કેવી રીતે મદદ કરે છે.

આધ્યાત્મિક મહત્વ:તમિલનાડુ સરકારે તેના સોગંદનામામાં કહ્યું કે 'જલ્લીકટ્ટુ' માત્ર મનોરંજનનું સાધન નથી. તે મહાન ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વની ઘટના છે. પોંગલ તહેવાર દરમિયાન જલ્લીકટ્ટુનું આયોજન સારા પાક માટે દેવતાના આભાર તરીકે કરવામાં આવે છે. આ પછી મંદિરોમાં ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. જે દર્શાવે છે કે આ પ્રસંગનું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ છે.

  1. Delhi Tribal Festival: દિલ્હીમાં 100 રૂપિયામાં વેચાઈ રહી છે કીડીની ચટણી, જાણો તેની પાછળનું કારણ
  2. જાતિ આધારિત વસ્તી ગણતરી સંબંધિત અરજી પર SCએ કેન્દ્રને ફટકારી નોટિસ
  3. દેશની તમામ મહિલાઓને સુરક્ષિત અને કાયદાકીય રીતે ગર્ભપાત કરવાનો અધિકાર છેઃ સુપ્રીમ કોર્ટ
Last Updated : May 18, 2023, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details