ગુજરાત

gujarat

By

Published : May 10, 2022, 1:21 PM IST

ETV Bharat / bharat

Pandit Shivkumar Sharma : જાણીતા સંતૂર વાદક પદ્મશ્રી પંડિત શિવકુમાર શર્માનું નિધન

જાણીતા ગીતકાર પંડિત શિવકુમાર શર્માનું મંગળવારે નિધન થયું (Pandit Shivkumar Sharma Passed Away) છે. તેઓ એક મહાન ગાયક પણ હતા. સંતૂરને લોકપ્રિય બનાવવાનો શ્રેય માત્ર શર્માને જ જાય છે. તેમના પરિવારમાં પત્ની મનોરમા અને પુત્ર રાહુલ શર્મા છે.

Pandit Shivkumar Sharma Passed Away: જાણીતા સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન
Pandit Shivkumar Sharma Passed Away: જાણીતા સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન

મુંબઈઃજાણીતા ગીતકાર પંડિત શિવકુમાર શર્માનું મંગળવારે નિધન થયું (Pandit Shivkumar Sharma Passed Away) છે, તેઓ એક મહાન ગાયક પણ હતા. સંતૂરને લોકપ્રિય બનાવવાનો શ્રેય માત્ર શર્માને જ જાય છે. પંડિત શિવ કુમાર શર્માને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા (Santoor Player Shivkumar Sharma) છે. પંડિત શિવકુમાર શર્માને 1986માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર, 1991માં પદ્મશ્રી અને 2001માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે, તેમને 1985માં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ બાલ્ટીમોરનું માનદ નાગરિકત્વ પણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:મોહાલી ઈન્ટેલિજન્સ ઓફિસ બ્લાસ્ટઃ પોલીસે કર્યો આ વાતનો ઈન્કાર, NIA કરી શકે છે તપાસ

શાસ્ત્રીય સંગીતનું પ્રખ્યાત આલ્બમ:વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અને પંડિત બ્રિજભૂષણ કાબરા સાથેનું શિવકુમાર શર્માનું 1967નું આલ્બમ કોલ ઓફ ધ વેલી એ (Call Of The Valley Album) શાસ્ત્રીય સંગીતનું પ્રખ્યાત આલ્બમ છે. તેણે 1980માં સિલસિલાથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પં. હરિપ્રસાદ ચૌરસિયા સાથેના તેમના અવારનવાર પ્રદર્શનને કારણે, બંને શિવ-હરિ તરીકે ઓળખાવા લાગ્યા.

આ પણ વાંચો:Pulitzer Prize 2022:દાનિશ સિદ્દિકી સહિત આ 4 ભારતીયોને મળ્યો પુલિત્ઝર પુરસ્કાર 2022

ABOUT THE AUTHOR

...view details