- કૃષિ કાયદાઓ રદ કરવા અને MSP પર ખરીદીને કાયદેસર કરવા ખેડૂતોનો મોરચો
- કિસાન મોરચા દ્વારા 25 સપ્ટેમ્બરે સંપૂર્ણ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું
- 5 સપ્ટેમ્બરે યોજાનારી કિસાન મહાપંચાયતમાં થશે મોટી જાહેરાત
નવી દિલ્હી: કૃષિ કાયદાઓ રદ કરવા અને MSP પર ખરીદીને કાયદેસર બનાવવાની માંગ સાથે છેલ્લા નવ મહિનાથી દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા કિસાન મોરચાએ સિંઘુ સરહદ પર બે દિવસીય સંમેલન બાદ મોટી જાહેરાત કરી છે. મુઝફ્ફરનગરમાં 5 સપ્ટેમ્બરે યોજાનારી કિસાન મહાપંચાયતમાં કિસાન મોરચાએ પોતાનું પૂરું જોર લગાડવાની તૈયારી કરી છે. મુઝફ્ફરનગર ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું ગૃહ જિલ્લો છે અને આવી સ્થિતિમાં પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડના ખેડૂતોના જૂથને ભેગા કરવા માટે ટિકૈત વારંવાર મુલાકાત લે છે.
ફરી એક વખત સરકારને ચેતવણી