ખરગોનઃમધ્યપ્રદેશમાં રામનવમીના અવસર પર એક ખાસ સમુદાયના લોકોએ ચાલી રહેલા કાર્યક્રમમાં પથ્થરમારો(stone pelting on procession) કર્યો, જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. બંને પક્ષોનો ગુસ્સો વધી જતાં વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો. આ મામલે મુખ્ય પ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, દોષિતો સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે(Strict action with the guilty). જે ઘરોમાંથી પથ્થરો આવ્યા છે, તે ઘરોને પથ્થરોનો ઢગલો બનાવી દેશે. મધ્યપ્રદેશમાં કાયદાનું શાસન છે અને સાંપ્રદાયિક સૌહાર્દને કોઈપણ કિંમતે ખલેલ પહોંચાડવા દેવામાં આવશે નહીં.
આ પણ વાંચો - Himmatnagar Group Pelted : હિંમતનગરમાં પથ્થરમારાની ઘટના થતા શહેરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ધારા 144 લાગુ
ટીયરગેસના શેલ છોડ્યા -ખરગોન જિલ્લામાં દર વર્ષે રામ નવમીના અવસરે શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે પણ દોડના કાર્યક્રમમાં સ્ટંટ કરતા ટેબ્લો તાલાબ ચોક થઈને ગુરુ દરવાજા તરફ જતા હતા. વિવાદ બાદ પોલીસે અસામાજિક તત્વોને વિખેરવા ફાયર ફાયટર તરફથી પાણીની તોપ સાથે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.