- સંઘ અને ભાજપ વચ્ચે સંકલન માટે સંપર્ક અધિરકારીની નિમણુંક
- અરુણ કુમારને 'સંપર્ક અધિકારી' તરીકે નિયુક્ત
- આવનાર સમયમાં વધુ ફેરફાર જોવા મળશે
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના વૈચારિક સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સંઘ અને ભાજપ વચ્ચે સંકલન માટે સંયુક્ત મહામંત્રી અરુણ કુમારને 'સંપર્ક અધિકારી' તરીકે નિયુક્તિ કરવાનો નિર્ણય કર્યો છે.
ટોચના કાર્યકરો હાજર
આ નિર્ણય ચિત્રકૂટ ખાતે આયોજિત અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠકમાં લેવામાં આવ્યો હતો, જ્યાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવત અને સંઘના ટોચના કાર્યકરો હાજર હતા. સંઘ અને આરએસએસ વચ્ચે સંકલનની જવાબદારી સંયુક્ત મહામંત્રી કૃષ્ણ ગોપાલે સંભાળી હતી. આ પોસ્ટ નિર્ણાયક છે. આ જવાબદારી એક વરિષ્ઠ પ્રચારકને આપવામાં આવી છે જે આરએસએસ અને ભાજપ વચ્ચેના પુલની જેમ કાર્ય કરી શકે છે અને બંનેના સંકલિત પ્રયત્નોની ખાતરી આપે છે.
આ પણ વાંચો :Padma Puraskaar: જમીન સ્તરે અસાધારણ કામ કરતા લોકોને મોદી સરકાર આપશે પદ્મ પુરસ્કાર