ગુજરાત

gujarat

Milkha singh passed away: પીએમ મોદી સહિત અનેક હસ્તીઓએ દુ:ખ વ્યક્ત કર્યુ, જાણો કોણે શું કહ્યું

By

Published : Jun 19, 2021, 1:37 PM IST

Updated : Jun 19, 2021, 3:25 PM IST

ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહ એક મહિના સુધી કોરોના સામે લડ્યા 18 જૂન શુકવારે 11:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન પર વડાપ્રધાન મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ અને બોલિવુડ અભિનેતાઓ અને ખેલાડીઓએ દુ:ખ વ્યક્ત કર્યુ છે.

ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહના નિધન પર  શ્રદ્ધાંજલિ
ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહના નિધન પર શ્રદ્ધાંજલિ

ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહના નિધન પર વડાપ્રધાન મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ અને બોલિવુડ અભિનેતાઓ અને ખેલાડીઓએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમજ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.

ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પાંડયાએ મિલ્ખા સિંહના નિધન પર શ્રદ્ધાંજલી આપી

હાર્દિક પાંડ્યા

RIP # મિલખાસિંહ સર. એક સાચા લેજેન્ડ અને પ્રેરણા સ્ત્રોત છો. તમે વિશ્વને બતાવ્યું કે તમે બધા અવરોધો સામે કંઈપણ પ્રાપ્ત કરી શકો છો. તેમજ તેમના મિત્રો અને પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરવી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મિલ્ખા સિંહના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ભારતે આવા મહાન ખેલાડી ગુમાવ્યા છે, જેનું જીવન ઉભરતા ખેલૈયાઓને પ્રેરણારૂપ બનાવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મિલ્ખા સિંહના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ

મોદીએ ટ્વિટ કર્યું હતું કે, મિલ્ખા સિંહજીના નિધન પર અમે એક મહાન ખેલાડીને ગુમાવી ચૂક્યા છે, જેમને અસંખ્ય ભારતીયોના હૃદયમાં વિશેષ સ્થાન હતું. તેમના પ્રેરણાદાયક વ્યક્તિત્વથી લાખો લોકો તેમને ચાહતા હતા. તેના મૃત્યુથી હું દુઃખી છું.

તેમણે વધુમાં લખ્યું છે કે, મેં થોડા દિવસો પહેલા શ્રી મિલ્ખા સિંહજી સાથે વાત કરી હતી. મને ખબર નહોતી કે, આ વાત અમારી છેલ્લી હશે. ઘણા ઉભરતા ખેલાડીઓને તેના જીવનમાંથી પ્રેરણા મળશે. તેના પરિવાર અને વિશ્વભરના તેના પ્રશંસકો પ્રત્યેની મારી સંવેદના.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુઃખ વ્યક્ત કર્યુ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુઃખ વ્યક્ત કર્યુ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મિલ્ખા સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ

ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ, " મિલ્ખા સિંહજીનું નિધન થઈ ગયું છે તે સાંભળીને ખૂબ દુ:ખ થયું છે. વિશ્વ મંચ પર તેમના સિંટેલેટિંગ પ્રદર્શન દ્વારા દિગ્ગજ રમતવીરે દરેક ભારતીયને અને માત્ર રમત-ગમતમાં જ પ્રેરણા આપી છે,"

ઉપરાષ્ટ્રપતિના વૈકેયા નાયડુએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ

નાયડુએ ઉમેર્યું છે કે , "મિલ્ખા સિંહજીની હૃદયસ્પર્શી જીવન યાત્રા ઉત્સાહી ભારતીય રમતવીરોને મોટું સ્વપ્ન જોવા અને આગળ વધવા પ્રેરણા આપે છે. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યેની મારી સંવેદના. ઓમ શાંતિ,"

કેન્દ્રીય રમતપ્રધાન દુઃખ વ્યક્ત કર્યું

કેન્દ્રીય રમતપ્રધાન દુઃખ વ્યક્ત કર્યું

કેન્દ્રીય રમતપ્રધાન કિરેન રિજજુએ દુઃખ વ્યક્ત કર્યું

અમિત શાહે મિલ્ખા સિંહના મોત પર શોક વ્યક્ત કર્યો

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ દુઃખ વ્યક્ત કર્યુ

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે મિલ્ખા સિંહના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે.

કેન્દ્રિય રેલ્વે પ્રધાન પિયુષ ગોયલે ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી

પિયુષ ગોયલે ટ્વિટ કર્યુ

પિયુષ ગોયલે ટ્વિટ કરીને કહ્યું કે, દેશને વિશ્વમાં ગૌરવ અપાવનારા ફ્લાઇંગ શીખ # મિલખાસિંહજીનું અવસાન એક અપુર્ણીય ક્ષતિ છે. તે કરોડો દેશવાસીઓના હ્રદયમાં વસે છે. તેમનું જીવન યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે, તેમનું નિધન રમતગમતની દુનિયાની મોટી ખોટ છે. ભગવાન તેમના દિવ્ય આત્માને મુક્તિ આપે. ઓમ.. શાંતિ

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શોક વ્યક્ત કર્યો

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શોક વ્યક્ત કર્યો

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, જ્યારે પણ દેશમાં ઉડાનની વાર્તાઓ કહેવામાં આવશે, ત્યારે આવી વ્યક્તિનું નામ ચોક્કસપણે આવશે જેણે દેશને રેસ ક્ષેત્રે કરોડો ભારતીય યુવાનોના સપનાઓને નવી ઉંચાઈ આપી. " મિલ્ખાસિંહ જી, નમ્ર શ્રદ્ધાંજલિ.

શાહરૂખ ખાને મિલ્ખા સિંહના મોત પર શોક વ્યક્ત કર્યો

શાહરૂખ ખાને મિલ્ખા સિંહના મોત પર શોક વ્યક્ત કર્યો

શાહરૂખ ખાને લખ્યું, ફ્લાઈંગ શીખ હવે અંગત રીતે આપણી વચ્ચે નથી પરંતુ તેમની હાજરી હંમેશા અનુભવાશે અને તેમનો વારસો અજોડ રહેશે. તેઓ મારા અને લાખો લોકો માટે પ્રેરણારુપ સાબિત થશે. રેસ્ટ ઇન પીસ મિલ્ખા સિંઘ સર.

નીતિન ગડકરીએ વ્યથા વ્યક્ત કરી હતી

નીતિન ગડકરીએ ટ્વિટ કર્યું

નીતિન ગડકરીએ ટ્વિટ કર્યું હતું કે, રોડો યુવાનોની પ્રેરણા સ્ત્રોત પદ્મ શ્રી મિલ્ખા સિંહ જીના નિધનથી ખુબ દુઃખી છુ. તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપુ છુ. ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારના સભ્યોને શક્તિ આપે. ઓમ શાંતિ.

હરિયાણાના મુખ્યપ્રધાને ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ

મનોહર લાલ ખટ્ટરે ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ

હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ, કહ્યુ ભારતે એક સિતારો ગુમાવ્યો છે. મિલ્ખા સિંહે આપણે છોડી ગયા છે. પરંતુ તેઓ દરેક ભારતીયોને દેશ માટે આગળ વધવા પ્રેરણા આપતા રહેશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મિલ્ખા સિંહના મોત પર શોક વ્યક્ત કર્યો

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યુ કે, મિલ્ખા સિંહજી માત્ર એક રમતવીર ન હતા, પરંતુ તેમનું સમર્પણ અને લાખો ભારતીયો માટે પ્રેરણારૂપ હતા. તેના પરિવાર અને ચાહકો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરી છે.

બોલિવુડના દિગ્ગજ અભિનેતા બીગ બીએ શોક વ્યક્ત કર્યો

બીગ બીએ શોક વ્યક્ત કર્યો

બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચને મિલ્ખા સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો.. ભારતનું ગૌરવ.. એક મહાન રમતવીર.. એક મહાન માણસ ગુમાવ્યા છે.

મિલ્ખા સિંહની બાયોપિકમાં પાત્ર નિભાવનાર અભિનેતા ફરહાન અખતરે ટ્વિટ કર્યુ

અભિનેતા ફરહાન અખતરે ટ્વિટ કર્યુ

અભિનેતા ફરહાન અખતરે ટ્વિટ કરી લખ્યુ કે 'હું તમને દિલથી ચાહું છું': ફરહાન અખ્તર 'પ્રિય મિલ્ખા સિંહ જી' માટે લખે છે.

અમરિંદરસિંહે દુઃખ વ્યક્ત કર્યુ

અમરિંદરસિંહે દુઃખ વ્યક્ત કર્યુ

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે પણ મિલ્ખા સિંહના મોત અંગે શોક વ્યક્ત કર્યો છે.

Last Updated : Jun 19, 2021, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details