નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે (Delhi High Court ) નિવૃત્ત કાશ્મીરી અધિકારીઓ (Retired Kashmiri Officers)ના સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવાના સિંગલ બેંચના આદેશ સામે દાખલ કરવામાં આવેલી(Judgment of retired Kashmiri officials) અરજીને ફગાવી દીધી છે. કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ વિપિન સાંઘીની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, નિવૃત્ત થયેલા કાશ્મીરી સ્થળાંતરીઓને (Kashmiri migrants) સરકારી આવાસમાં રહેવાનો અધિકાર નથી.
આ પણ વાંચો:દિલ્હી હાઇકોર્ટે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી, 'આગામી સુનાવણીમાં વરિષ્ઠ અધિકારી હાજર રહે'
સરકાર પાસે અમર્યાદિત આવાસ નથી:કોર્ટે કહ્યું કે, સરકાર કાશ્મીરી નિવૃત્ત અધિકારીઓ સાથે ભેદભાવ નથી કરી રહી. જો અમે તેમને સરકારી આવાસમાં રહેવા દઈશું તો જે લોકો સરકારી આવાસની રાહ જોઈ રહ્યા છે તેમનું શું થશે. સરકાર પાસે અમર્યાદિત આવાસ નથી. વાસ્તવમાં, 16 ફેબ્રુઆરીએ જસ્ટિસ વી કામેશ્વર રાવની સિંગલ બેન્ચે ત્રણ નિવૃત્ત કાશ્મીરી અધિકારીઓને 31 માર્ચ સુધીમાં સરકારી આવાસ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. સિંગલ બેન્ચે આ ભૂતપૂર્વ અધિકારીઓની દલીલને ફગાવી દીધી હતી કે તેઓ કાશ્મીરમાંથી વિસ્થાપિત થયા છે. અરજદાર સુશીલ કુમાર ધરે સિંગલ બેંચના આ નિર્ણયને ડિવિઝન બેંચમાં પડકાર્યો હતો.