ગુજરાત

gujarat

પશ્ચિમ બંગાળઃ ચૂંટણી જાહેરાત થયા બાદ વડાપ્રધાન મોદીના ફોટા વાળા બેનરોને લઈને થયો વિવાદ

By

Published : Mar 4, 2021, 10:36 AM IST

Updated : Mar 4, 2021, 3:34 PM IST

ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતુ કે પેટ્રોલ પંપ પર બેનરની જાહેરાત કરતી કેન્દ્રિય યોજનાઓમાં વડાપ્રધાનના ફોટોગ્રાફનો ઉપયોગ આચારસંહિતાના ભંગ છે.

પશ્ચિમ બંગાળઃ યૂંટણી જાહેરાત થયા બાદ વડાપ્રધાનના ફોટો વાળા બેનરોને લઈને થયો વિવાદ
પશ્ચિમ બંગાળઃ યૂંટણી જાહેરાત થયા બાદ વડાપ્રધાનના ફોટો વાળા બેનરોને લઈને થયો વિવાદ

  • ચૂંટણી પંચ આવ્યું હરકતમાં
  • પેટ્રોલ પંપ પર કેન્દ્રની યોજનાઓમાં વડાપ્રધાન મોદીની તસવીર ઉપયોગમાં લેવામાં આવી હતી
  • ECIએ 26 ફેબ્રુઆરીએ રાજ્યની ચૂંટણીની તારીખોની ઘોષણા કરી હતી

કલકત્તાઃભારતીય ચૂંટણી પંચે પેટ્રોલ પંપોને 72 કલાકની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળા બેનરો હટાવવા માટે નિર્દેશ કર્યો છે. આ જાણકારી ચૂંટણી પંયના એક અધિકારી દ્વારા આપવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ (ECI)એ બુધવારે તમામ પેટ્રોલ પંપના ડીલરો અને અન્યોને નિર્દેશ કર્યો છે કે કેન્દ્ર સરકારની જાહેરાતમાં વડાપ્રધાન મોદીના ફોટો છે તેને 72 કલાકની અંદર હટાવવામાં આવે.

આ પણ વાંચોઃબંગાળ ચૂંટણી પહેલા ખુલાસો, બંગાળના 37 ટકા ધારાસભ્યો સામે પોલીસ કેસ દાખલ

ચૂંટણીની જાહેરાત થયા બાદ બેનરોમાં વડાપ્રધાનના ફોટોગ્રાફનો ઉપયોગ કરવો તે આચારસંહિતાનો ભંગઃ મુખ્ય યૂંટણી અધિકારી

પશ્ચિમ બંગાળના મુખ્ય યૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે ચૂંટણીની જાહેરાત થયા બાદ બેનરોમાં વડાપ્રધાનના ફોટોગ્રાફનો ઉપયોગ કરવો તે આચારસંહિતા(MCC)નું ઉલ્લંઘન છે. શરૂઆતમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ECI અધિકારીઓને મળ્યા અને આરોપ લગાવ્યો કે મોદીના હોર્ડિંગ્સનો ઉપયોગ વિવિધ લોકોને કેન્દ્રીય માહિતીથી વાકેફ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. આ યોજનાઓ યૂંટણીની આચારસંહિતાનો ભંગ કરે છે. નોંધનીય છે કે ECIએ 26 ફેબ્રુઆરીએ રાજ્યની ચૂંટણીની તારીખોની ઘોષણા કરી હતી.

Last Updated : Mar 4, 2021, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details