ગુજરાત

gujarat

By

Published : Apr 28, 2021, 6:44 AM IST

ETV Bharat / bharat

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ...

rashi
બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

મેષ :આજે દિવસના ભાગમાં આપનો સમય સગાં સ્‍નેહીઓ અને મિત્રો સાથે આનંદ પ્રમોદમાં પસાર થશે. વિજાતીય પાત્રો અને પ્રેમીજનો સાથે સારી પળો માણશો. નવા કપડાં કે આભૂષણોની ખરીદી કરશો. જાહેર માન- સન્‍માન મળે. પરંતુ બપોર પછી આપે દરેક રીતે સંયમિત વલણ રાખવું પડશે. નવા સંબંધો બાંધતા પહેલાં વિચાર કરવાની સલાહ આપવામાં આવે છે. વધુ ખર્ચ થાય. હિતશત્રુઓથી સાવચેત રહેવું. તંદુરસ્‍તીનું ધ્યાન રાખવું. વાણી અને વર્તન પર અંકુશ રાખવો.

વૃષભ :નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ ખૂબ લાભદાયક છે. પરિવાર ક્ષેત્રે પણ સુખશાંતિ જળવાઇ રહેશે. શત્રુઓ કે પ્રતિસ્‍પર્ધીઓ સામે આપને વિજય મળે. નોકરીમાં સાથી કાર્યકરો સહાયરૂપ બને. મધ્‍યાહન પછી દોસ્‍તો સાથે મનોરંજનની મહેશ માણશો. પાર્ટી પિકનિક કે નાની મુસાફરીનું આયોજન થાય. ભાગીદારો સાથે સંભાળીને કામ લેવું. દાંપત્‍યજીવનમાં નિકટતા છે.

મિથુન :આપનો આજનો દિવસ બૌદ્ધિક કાર્યો અને ચર્ચામાં પસાર થશે. આપ આપની કલ્‍પનાશક્તિ અને સર્જનશક્તિને ખૂબ સારી રીતે કામે લગાડી શકો. પ્રિયતમા સાથેનું મિલન રોમાંચક રહેશે. માનસિક અને શારીરિક રીતે સજ્જ રહેશો. બપોર પછી નોકરિયાત વર્ગને નોકરીમાં લાભની શક્યતાઓ ઉભી થાય. ઘરમાં શાંતિનું વાતાવરણ રહે. વિરોધીઓ અને પ્રતિસ્‍પર્ધીઓ સામે આપને સફળતા મળશે. સહકર્મચારીઓનો સાથ સહકાર મળશે.

કર્ક :માનસિક હતાશા અને અસ્‍વસ્‍થતા રહેવાની શક્યતા હોવાથી શારીરિક રીતે આપ બેચેની અનુભવશો. નકારાત્મક વિચારોથી દૂર રહેવું. મુસાફરી માટે આજનો દિવસ અનુકૂળ નથી. જમીન- વાહન સંબંધી સમસ્‍યાઓ સર્જાય. બપોર બાદ આપ માનસિક રીતે થોડીક રાહતની લાગણી અનુભવશો. મિત્રોનો સહકાર મળશે. શારીરિક તાજગીનો અનુભવ થશે. વધારે પડતા વિચારો આપના મનને વિચલિત કરશે.

સિંહ :આજે આપને નાનકડા ધાર્મિક પ્રવાસનો સંકેત મળી રહ્યો છે. વિદેશથી સારા સમાચાર મળે. ધનલાભ થાય. વિદેશથી સારા સમાચાર મળે. નવા કાર્યના પ્રારંભ માટે શુભ સમય છે. રોકાણકારો માટે લાભદાયી સમય છે પરંતુ મધ્‍યાહન બાદ આપ વધુ પડતા લાગણીશીલ બનશો. માનસિક ગડમથલ વધી શકે છે અને તેના કારણે આપની તંદુરસ્તીને અસર પડી શકે છે. કૌટુંબિક અને જમીન મિલકતને લગતી સમસ્‍યાઓ ઉભી થાય.

કન્યા :આજે આપનું મન કોઇ ચોક્કસ નિર્ણય ન લઇ શકવાને કારણે નવા કાર્યની શરૂઆત કરવી યોગ્‍ય નથી. કોઇ જોડે મનદુ:ખનો પ્રસંગ ન સર્જાય તે માટે આજે મૌન જાળવવું વધારે ઉચિત રહેશે. તન- મનની સ્‍વસ્‍થતા મધ્‍યમ રહે પરંતુ બપોર પછી આપને પરિસ્થિતિ પલટાતાં જણાય. ઘરમાં મહત્‍વના નિર્ણયો લેશો. મુસાફરી માટે આયોજન કરશો. મૂડીરોકાણ આજે કરવું હિતાવહ છે. ભાગ્‍યવૃદ્ધિનો દિવસ છે.

તુલા : વૈચારિક દૃઢતા અને સમતોલ વિચારસરણી સાથે આપનો આજનો દિવસ શરૂ થશે. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો. નવા વસ્‍ત્રો આભૂષણોની ખરીદી પાછળ ખર્ચ થાય. પરંતુ મધ્યાહન બાદ આપની માનસિક સ્થિતિ અનિર્ણાયકતામાં અટવાયા કરશે. પરિવારજનો સાથે મતભેદ નિવારવો. આજે અગત્‍યના નિર્ણયો લેવાનું ટાળવું. આજે આપે અહમ રાખ્‍યા વગર અન્‍ય લોકો સાથે બાંધછોડ કરવી પડશે.

વૃશ્ચિક : આધ્યાત્મિકતા અને ઇશ્વરભક્તિથી આજે આપ મનને શાંત રાખી શકશો. આપના મનમાં ઉઠતા નકારાત્‍મક વિચારોને આપે કાબુમાં રાખવો પડશે. કોર્ટકચેરીના કામકાજમાં સંભાળીને પગલું ભરવું. શરીર સ્‍વાસ્‍થ્‍ય બગડશે. બપોર બાદ આપના આર્થિક આયોજનો પાર પાડતા લાગે. શારીરિક- માનસિક સ્‍વસ્‍થતા પ્રાપ્‍ત કરતા જશો. આપનો વિશ્વાસ વધતો જણાશે. મોજશોખ કે મનોરંજન પાછળ ધનખર્ચ થશે.

ધન :દિવસને આપને આવકમાં વૃદ્ધિ અને લાભ સૂચવી જાય છે. સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું થાય. આપની માન- પ્રતિષ્‍ઠા વધે. આવકમાં વૃદ્ધિ થાય. વેપારમાં લાભ થાય. સ્‍ત્રી મિત્રો અને પ્રિયતમા સાથેની મુલાકાત આપને આનંદિત કરશે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. મધ્‍યાહન પછી પરિવારના દરેક સભ્યો સાથે શાંતિથી વર્તવાની સલાહ છે. અકસ્‍માતથી બચવા માટે શાંતિથી વાહન ચલાવવું અને બિનજરૂરી ઉતાવળ ટાળવી. શરીર સ્‍વાસ્‍થ્‍યની સંભાળ લેવાની પણ સલાહ છે. આવક કરતાં ખર્ચ વધશે. બોલવા પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે.

મકર :વર્તમાન સમયમાં ગૃહસ્‍થજીવન આનંદમય રહેશે. પરિવારના સભ્‍યોમાં ખુશાલીનો માહોલ રહેશે. નોકરીમાં પદોન્‍નતિના યોગ છે. ઓફિસમાં અનુકૂળ વાતાવરણ રહેશે. સહકર્મચારીઓનો સાથ સહકાર મળે. મધ્‍યાહન બાદ દોસ્‍તો સાથે મિલન મુલાકાત અને મનોહર પર્યટન સ્‍થળ પર જવાની શક્યતા ઉભી થશે. આપની આવક વધવાના યોગ છે. વેપારી વર્ગને વેપારમાં ફાયદો થાય. લગ્‍નજીવનમાં આનંદ વધે.

કુંભ :આજનો દિવસ નોકરિયાત વર્ગ માટે સંભાળીને ચાલવા જેવો છે. ઉપરી અધિકારીઓથી આજે અંતર રાખવું હિતાવહ છે. સંતાનોના આરોગ્‍ય વિશે ચિંતા ઉદભવે. લાંબા અંતરની મુસાફરીનું આયોજન કરશો. ધાર્મિક સ્‍થળે પ્રવાસ થાય. મધ્‍યાહન બાદ નોકરી વ્‍યવસાયના સ્‍થળે અનુકૂળ વાતાવરણ રહેશે. કુટુંબજીવન અને ગૃહસ્‍થજીવનમાં ખુશાલી વ્‍યાપશે. નોકરીમાં અધિકારીઓ આપના કામથી ખુશ રહેશે. વ્‍યવસાય ક્ષેત્રે સારો સફળ દિવસ છે.

મીન :આજે કોઇ સાથે ઝઘડો કે વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. સ્વભાવમાં શાંતિ અને ધીરજ રાખવી. ગૂઢ વિદ્યા તરફ આકર્ષણ અનુભવો. રહસ્‍યમય બાબતોમાં આપને રસ પડે. ચિન્‍તનશક્તિ આપને મનની શાંતિ આપશે. બપોર પછીનો સમય થોડીક અનુકૂળતા દર્શાવે છે. બૌદ્ધિક કે લેખનકાર્યમાં આપ સક્રિય રહેશો. વિદેશથી સગાં- સ્‍નેહીના સમાચાર મળે. નોકરીમાં સંભાળીને રહેવું. ઉપરી અધિકારીઓ સાથે વાદવિવાદ ટાળવો. તબિયત સાચવવી.

ABOUT THE AUTHOR

...view details