ગુજરાત

gujarat

By

Published : Mar 31, 2021, 3:26 PM IST

ETV Bharat / bharat

દિલ્હીના બસ-રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર કોરોનાનું રેન્ડમ ટેસ્ટિંગ શરૂ

છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશ પછી રાજધાની દિલ્હીના રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો અને એરપોર્ટ પર કોરોનાનું રેન્ડમ ટેસ્ટિંગ શરૂ કરાયું છે. આ અંગે મળતી માહિતી અનુસાર, આ સાર્વજનિક સ્થળ પર દિલ્હી સરકારની રેન્ડમ ટેસ્ટિંગ યુનિટ તહેનાત કરવામાં આવી છે. આ યુનિટ એવા પ્રવાસીઓ પર સૌથી વધારે ધ્યાન આપે છે જે કોરોનાગ્રસ્ત રાજ્યમાંથી આવી રહ્યા છે.

દિલ્હીના બસ-રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર કોરોનાનું રેન્ડમ ટેસ્ટિંગ શરૂ
દિલ્હીના બસ-રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર કોરોનાનું રેન્ડમ ટેસ્ટિંગ શરૂ

  • ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશ પછી ટેસ્ટિંગ શરૂ કરાયું
  • બસ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર થશે લોકોનું કોરોના રેન્ડમ ચેકિંગ
  • સૌથી વધુ કોરોનાગ્રસ્ત રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ પર વધુ ધ્યાન

આ પણ વાંચોઃગુજરાત-રાજસ્થાન સરહદો પર નથી થતા કોરોના ટેસ્ટ, સરકારી આદેશનો ફિયાસ્કો

નવી દિલ્હીઃ રેલવેના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પંજાબ અને મુંબઈ તરફથી આવનારી ગાડીઓમાં રેન્ડમ ચેકિંગ સૌથી વધારે કરવામાં આવી રહ્યું છે. જ્યારે એરપોર્ટની પણ આ જ સ્થિતિ છે. તહેનાત કરાયેલા આ યુનિટ્સને દરરોજ 100-150 રેન્ડમ ટેસ્ટિંગ ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

સૌથી વધુ કોરોનાગ્રસ્ત રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ પર વધુ ધ્યાન

આ પણ વાંચોઃમહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર સઘન ચેકીંગ

જેમ કેસ વધે તેમ કોરોના ટેસ્ટિંગનો ટાર્ગેટ વધે છે

આ અંગે જાણવા મળ્યું છે કે, જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેમ તેમ ટાર્ગેટ પણ વધારવામાં આવી રહ્યો છે. રેન્ડમ ટેસ્ટિંગમાં પોઝિટિવ આવનારા લોકોની મરજી મુજબ ક્વોરન્ટાઈન કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ડ્રાઈવ ને ઈન્ટેન્સિવ રીતે ચલાવવાનું પણ આયોજન છે.

ABOUT THE AUTHOR

...view details