ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Dec 27, 2023, 9:48 PM IST

ETV Bharat / bharat

Ayodhya Dham Junction : રામનગરી રેલવે સ્ટેશન હવે અયોધ્યા ધામ જંકશન તરીકે ઓળખાશે, CM યોગીની ઈચ્છા થઇ પૂરી

અયોધ્યા જંકશન હવે અયોધ્યા ધામ જંકશન તરીકે ઓળખાશે. સીએમ યોગીની ઈચ્છા મુજબ તેનું નામ બદલવામાં આવ્યું છે. ભાજપના સાંસદ લલ્લુ સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે.

Etv Bharat
Etv Bharat

અયોધ્યાઃવડાપ્રધાન મોદી 30મી ડિસેમ્બરે અયોધ્યા જંકશનની નવનિર્મિત ઈમારતનું ઉદ્ઘાટન કરશે, પરંતુ તે પહેલા તેનું નામ બદલીને હવે અયોધ્યા ધામ જંક્શન કરવામાં આવ્યું છે. ફૈઝાબાદ સંસદીય સીટના બીજેપી સાંસદ લલ્લુ સિંહે પોતાના સોશિયલ મીડિયા પેજ પર આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે એક પોસ્ટ જારી કરીને માહિતી આપી છે કે અયોધ્યા જંકશન હવે અયોધ્યા ધામ જંક્શન તરીકે ઓળખાશે. આ માટે તેઓ વડાપ્રધાન અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માને છે.

રેલ્વે સ્ટેશનનું નામ બદલાયું : 21 ડિસેમ્બરે અયોધ્યા જંક્શનનું નિરીક્ષણ કરતી વખતે મુખ્યમંત્રી યોગીએ તેનું નામ અયોધ્યા ધામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સાથે સીએમ યોગીએ રેલ્વે અધિકારીઓને પણ પોતાની ઈચ્છા વિશે જાણકારી આપી હતી. આ પછી, અયોધ્યા જંકશનનું નામ બદલવાની માહિતી સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવી છે. બીજેપી સાંસદ લલ્લુ સિંહ દ્વારા જારી કરવામાં આવેલી માહિતીમાં તેમણે કહ્યું છે કે- વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ જનભાવનાની અપેક્ષા મુજબ નવનિર્મિત ભવ્ય અયોધ્યા રેલ્વે સ્ટેશનના અયોધ્યા જંક્શનનું નામ બદલીને અયોધ્યા ધામ જંકશન કરવામાં આવ્યું છે. બીજેપી સાંસદે આ માટે પીએમ મોદી અને રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.

Ayodhya Dham Junction

યોગીનું સપનું પૂર્ણ થયું : 30 ડિસેમ્બરે વડાપ્રધાન યોગીના આગમનને લઈને અયોધ્યામાં તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદી આ દિવસે અયોધ્યા જંક્શનથી વંદે ભારતને ફ્લેગ ઓફ કરશે. આ સાથે તેઓ રામનગરીને લગભગ છ હજાર કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપશે. આ કાર્યક્રમને લઈને રાજ્યના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પણ અયોધ્યામાં પડાવ નાખ્યો છે.

Ayodhya Dham Junction
  1. Year Ender 2023 : જી20નું પ્રમુખપદ ભારતને આપી ગયું અનેક ઉપલબ્ધિઓ
  2. Army Day 2024 : 15 જાન્યુઆરીના રોજ લખનૌમાં ભારતીય સેનાની તાકાતનું પ્રદર્શન થશે, શસ્ત્રોનું પ્રદર્શન યોજાશે

ABOUT THE AUTHOR

...view details