ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તરતા પથ્થરથી બનેલું 800 વર્ષ જૂનુ રામપ્પા મંદિર, વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મળ્યું સ્થાન - UNESCO World Heritage Site Ramappa Temple

તેલંગાણાનું રામપ્પા મંદિર વિશ્વનું એક એવું મંદિર છે, જેનું નામ તેના કારીગરના નામ પર રાખવામાં આવ્યું છે. આમાં પાણીમાં તરતા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યારે આવા પથ્થરો જોવા મળતા નથી. મંદિરને 800 વર્ષ થયા છે, પરંતુ મંદિરની સુંદરતા એટલી જ જોવા મળે છે.

રામપ્પા મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મળ્યું સ્થાન
રામપ્પા મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મળ્યું સ્થાન

By

Published : Jul 28, 2021, 10:11 AM IST

  • UNESCO દ્વારા રામપ્પા મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું
  • યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ
  • 800 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું પાણી તરતા પથ્થરનું

હૈદરાબાદ: તેલંગાણાના મુલુગુ જિલ્લામાં સ્થિત રામપ્પા મંદિર(Ramappa Temple)ને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ (UNESCO World Heritage Site) ની સૂચિમાં સ્થાન મળ્યું છે. તેમ છતાં તેલંગાણામાં ઘણી ઐતિહાસિક ઇમારતો અને કિલ્લાઓ છે, તેમ છતાં રામપ્પા મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ તરીકેનો દરજ્જો મળ્યો એ મોટી સિદ્ધિ છે.

રામપ્પા મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મળ્યું સ્થાન

આ પણ વાંચો:UNESCO દ્વારા ધોળાવીરાની હડપ્પન સાઇટને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન

મંદિરનું વિશેષ સામગ્રી સાથે બાંધકામ

રામપ્પા મંદિરની વિશેષતા સમગ્ર વિશ્વમાં પહોંચાડવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે ઘણા પ્રયત્નો કર્યા અને વિવિધ વ્યૂહરચનાઓ અપનાવી હતી, આથી જ આ શક્ય બન્યું છે. રામપ્પા મંદિરને તેની વિશિષ્ટ રચના, આર્કિટેક્ચર અને વિશેષ સામગ્રી સાથે બાંધકામ માટે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી છે.

રામપ્પા મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મળ્યું સ્થાન

રામપ્પા મંદિરનો ઇતિહાસ

રામપ્પા મંદિર 13 મી સદીમાં આંધ્રપ્રદેશના કાકતીયા વંશના મહારાજા ગણપતિ દેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેણે તેના કારીગર રામપ્પાને એવું મંદિર બનાવવાનું કહ્યું જે, વર્ષો સુધી ટકી રહે. એવું માનવામાં આવે છે કે, મંદિરનું નિર્માણ વર્ષ 1213માં શરૂ થયું હતું અને તેને નિર્માણ કરવામાં લગભગ 40 વર્ષ લાગ્યા હતા. રામપ્પાએ પોતાની કારીગરીથી આવું મંદિર તૈયાર કર્યું, જે જોવામાં ખૂબ જ સુંદર હતું. ખુશ થઈને રાજાએ તે જ કારીગરના નામ પરથી મંદિરનું નામ આપ્યું. આ સુંદરતાને આજે યુનેસ્કોના વારસોમાં સમાવવામાં આવેલો છે.

રામપ્પા મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મળ્યું સ્થાન

આ પણ વાંચો:રાષ્ટ્રીય કાળિયાર ઉદ્યાનમાં એકસાથે 3 હજારથી વધુ કાળિયાર રસ્તો ઓળંગતા પડ્યા નજરે...

રામપ્પા મંદિરની સુવિધાઓ

આ મંદિર ભગવાન શિવનું છે અને 13મી સદીમાં બંધાયેલું છે, તે ભારતીય શિલ્પનું એક અનોખું ઉદાહરણ છે. તેની વિશેષ રચના અને વિશેષ બાંધકામ સામગ્રીને કારણે, રામાપ્પા મંદિર 800 વર્ષ પછી પણ તેના ઇતિહાસની જુબાની રજૂ કરી રહ્યું છે.

રામપ્પા મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મળ્યું સ્થાન

તરતા પથ્થરથી બનેલું મંદિર

રામપ્પા પ્રાચીન મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે, તેનું નિર્માણ રેતીના પત્થરથી કરવામાં આવ્યું છે. પુરાતત્ત્વવિદોના મતે, રામપ્પા મંદિરમાં પથ્થરો ખૂબ હળવા છે, જે પાણીમાં પણ તરતા હોય છે. ખરેખર, પુરાતત્ત્વવિદોની ટીમ મંદિરની શક્તિના રહસ્ય શોધવા સંશોધન કરી રહી હતી, જ્યારે તેણે મંદિરના પથ્થરનો ટુકડો કાપીને પથ્થર કેટલો વજનમાં છે, ત્યારે તેણે પત્થરનો ટુકડો પાણીમાં નાખ્યો ત્યારે તે પાણીમાં તરવા લાગ્યો.

ABOUT THE AUTHOR

...view details