ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (સંશોધન) બિલ 2021 રાજ્યસભામાં પસાર, વિપક્ષનું વોક આઉટ - ગૃહ રાજ્યપ્રધાન જી. કિશન રેડ્ડી

રાજ્ય સભાએ દિલ્હી સરકારનું રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (સંશોધન) બિલ 2021ને પસાર કરાયું છે. લોકસભાએ 22 માર્ચે બિલ પસાર કર્યું હતું. તે દિલ્હીના ઉપરાજ્યપાલની કેટલીક ભૂમિકા અને અધિકારની બતાવે છે.

દિલ્હીમાં LGને વધુ અધિકાર આપતું બિલ રાજ્યસભામાં પસાર
દિલ્હીમાં LGને વધુ અધિકાર આપતું બિલ રાજ્યસભામાં પસાર

By

Published : Mar 25, 2021, 7:40 AM IST

  • નેશનલ કેપિટલ ટેરિટરી ગવર્નન્સ (સંશોધન) બિલ 2021ને મંજૂરી
  • બિલ ઉપરાજ્યપાલની કેટલીક ભૂમિકા અને અધિકારોની ભુમિકા સ્પષ્ટ કરે છે.
  • કોંગ્રેસ, BJD, SP, YSR સહિતની અનેક વિપક્ષી પાર્ટીઓનું ગૃહમાંથી વોક આઉટ

નવી દિલ્હી: રાજ્યસભાએ બુધવારે નેશનલ કેપિટલ ટેરિટરી ગવર્નન્સ (સંશોધન) બિલ 2021ને મંજૂરી આપી દીધી છે, જેમાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે દિલ્હીના ઉપરાજ્યપાલની કેટલીક ભૂમિકા અને અધિકારોની ભુમિકા સ્પષ્ટ કરે છે. ઉપલા ગૃહમાં બિલ અંગેની ચર્ચાના જવાબમાં ગૃહ રાજ્યપ્રધાન જી. કિશન રેડ્ડીએ કહ્યું હતું કે, બંધારણ મુજબ દિલ્હી મર્યાદિત સત્તાઓ ધરાવતું કેન્દ્ર શાસિત ક્ષેત્ર છે. સુપ્રીમ કોર્ટે પણ પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, આ કેન્દ્રશાસિત રાજ્ય છે. તમામ સંશોધન કોર્ટના નિર્ણયને અનુરૂપ છે.

આ પણ વાંચો:વિપક્ષના વિરોધ વચ્ચે કૃષિ બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યા હસ્તાક્ષર

દિલ્હીની જનતાને ખાતરી આપવા માંગીએ છીએ

રેડ્ડીએ કહ્યું કે, બંધારણની કલમ 239A હેઠળ રાષ્ટ્રપતિ દિલ્હી માટે ઉપરાજ્યપાલની નિમણૂક કરે છે. જો કોઈ વિષય પર ઉપરાજ્યપાલ અને દિલ્હીની ચૂંટાયેલી સરકાર વચ્ચે મતભેદ હોય તો ઉપરાજ્યપાલ તે અંગે રાષ્ટ્રપતિને જાણ કરે છે. તેમણે કહ્યું કે, અમે દિલ્હીની જનતાને ખાતરી આપવા માંગીએ છીએ કે, દિલ્હી સરકારના કોઈ પણ અધિકારને ઓછા કરવામાં આવ્યા નથી.

સરકારના બિલ અંગેના જવાબથી સંતુષ્ટ નથી

પ્રધાનના આ જવાબથી ગૃહ દ્વારા રાષ્ટ્રીય રાજધાની રાજ્ય સરકાર (સંશોધન) બિલ 2021 (એનસીટી બિલ) ને મંજૂરી આપવામાં આવી છે. આ સમય દરમિયાન, કોંગ્રેસ, BJD, SP, YSR સહિતની અનેક વિપક્ષી પાર્ટીઓએ ગૃહમાંથી વોક આઉટ કર્યું. ત્યારે, વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડર્ગેએ કહ્યું હતું કે, તેઓ સરકારના આ બિલ અંગેના જવાબથી સંતુષ્ટ નથી, તેથી તેમનો પક્ષ ગૃહમાં હંગામો મચાવી રહ્યો છે.

આ પણ વાંચો:16મી લોકસભામાં 240 બિલ પસાર થયા, 23 બિલ લટકી રહ્યા

લોકશાહી માટે દુ:ખદ દિવસ: કેજરીવાલ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બીલ બાબતે કહ્યું કે, આ લોકશાહી માટેનો 'દુ:ખદ દિવસ' છે. તેમણે ટ્વીટ કર્યું કે, 'રાજ્યસભાએ GNCTD બિલ પસાર કર્યું છે. ભારતીય લોકશાહી માટે દુ:ખદ દિવસ છે. લોકોને બીજી વખત સત્તા સોંપવા માટે સંઘર્ષ ચાલુ રાખશું. જે પણ મુશ્કેલીઓ આવશે અમે સારા કામ કરતા રહીશું. ન તો કામ અટકશે નહીં અને ન તો ધીમું થશે.

ABOUT THE AUTHOR

...view details