- રાજનાથ સિંહ પશ્ચિમ બંગાળના પ્રવાસે
- વિધાનસભાને અનુલક્ષીને 3 સ્થળે સંબોધશે જનસભા
- 27 માર્ચથી બંગાળમાં યોજાઇ રહી છે ચૂંટણી
નવી દિલ્હી:આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુરુવારે રક્ષાપ્રધાન રાજનાથસિંહ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભા સંબોધશે. તેઓ જોયપુર, તલદાંગરા અને કાકદ્વીપ વિધાનસભા ક્ષેત્રમાં જનસભા સંબોધશે. આ અંગે રાજનાથ સિંહે ટ્વિટ કરીને માહિતી આપી હતી. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંટાઇમાં સભા યોજી હતી,જ્યારે મંગળવારે ગૃહપ્રધાન અમિતશાહે મેદિનિપુરમાં રોડ શૉ યોજ્યો હતો.
વધુ વાંચો:બંગાળ ચૂંટણી પર ભાજપનું ઘોષણાપત્ર, KGથી લઈને PG સુધી છોકરીઓ માટે નિ: શુલ્ક શિક્ષણ