- ચૂંટણીને લઈને રાજનાથ સિંહ કેરલ પ્રવાસે
- પ્રચાર માટે ત્રિશુરમાં યોજી જાહેરસભા
- જાહેરસભામાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર કર્યા પ્રહારો
ત્રિશુર: કેરલના ત્રિશુર ખાતે ચૂંટણીસભાને સંબોધતી વખતે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાહુલે તાજેતરમાં જ કોલ્લમ ખાતે માછીમારો સાથે કૂદકો લગાવ્યો હતો. હું મારા ભાઈઓ-બહેનોને કહેવા માંગુ છું કે, સાવચેત રહો કે, તેમનો ટ્રેક રેકોર્ડ યોગ્ય નથી. તેઓ જ્યાં જાય છે, ત્યાં તેઓ પોતે તો ડૂબે જ છે, સાથે સાથે બીજાને પણ ડૂબાડે છે.