- કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત જમ્મુ -કાશ્મીરની મુલાકાતે
- રાહુલ ગાંધી 9 અને 10 સપ્ટેમ્બર 2 દિવસ જમ્મુ -કાશ્મીરની મુલાકાતે
- જમ્મુમાં વૈષ્ણવ દેવી મંદિરની મુલાકાત લેશે
શ્રીનગર:કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત જમ્મુ -કાશ્મીરની મુલાકાતે જશે. આ વખતે રાહુલ ગાંધી 9 અને 10 સપ્ટેમ્બરે જમ્મુ જશે. માનવામાં આવે છે કે આ વખતે રાહુલ ગાંધી માતા વૈષ્ણવ દેવી મંદિરમાં પ્રાર્થના કરશે. અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરની બે દિવસની મુલાકાત લીધી હતી. ગયા મહિને, 9 ઓગસ્ટે રાહુલ ગાંધી બે દિવસની મુલાકાતે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા હતા. તે જ સમયે, એક મહિનાના અંતરાલ બાદ ફરી એકવાર રાહુલ ગાંધી જમ્મુ -કાશ્મીરની મુલાકાતે જવાના છે.
આ પણ વાંચો:રાહુલ ગાંધી શુક્રવારથી આસામના પ્રવાસ પર, અનેક રેલીઓને સંબોધશે
કલમ 370 હટાવ્યા બાદ 2021 માં રાહુલ ગાંધીની આ પ્રથમ શ્રીનગર મુલાકાત