- ઉત્તર પ્રદેશના પ્રધાન વિજય કશ્યપનું કોરોનાથી નિધન
- વિજય કશ્યપની ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ સરકારના પ્રધાન અને ભાજપના ધારાસભ્ય વિજય કશ્યપનું મંગળવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કોરોના વાઈરસના સંક્રમણને કારણે નિધન થયું હતું. મુઝફ્ફરનગરમાં ચરથાવલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કશ્યપ છેલ્લા કેટલાક દિવસોથી મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, તેઓએ મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા.
આ પણ વાંચો: IMAના પૂર્વ અધ્યક્ષ અને પદ્મશ્રી ડો. કે. કે. અગ્રવાલનું કોરોનાથી નિધન
વિજય કશ્યપ લોકહિતના કાર્યો માટે સમર્પિત હતા: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી ભાજપના નેતા પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, વિજય કશ્યપ લોકહિતના કાર્યો માટે સમર્પિત હતા.