ગુજરાત

gujarat

વડાપ્રધાન મોદીએ 51 શક્તિપીઠોમાંના પ્રાચીન જશોરેશ્વરી કાલી મંદિરમાં દેવી કાલીની પૂજા-અર્ચના કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પડોશી દેશના બે દિવસીય પ્રવાસે ગયા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ બે દિવસીય પ્રવાસમા સાવર સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારકનો પ્રવાસ કર્યો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી અર્જુનનો છોડ પણ રોપ્યો હતો

By

Published : Mar 27, 2021, 11:41 AM IST

Published : Mar 27, 2021, 11:41 AM IST

Updated : Mar 27, 2021, 5:20 PM IST

વડાપ્રધાન મોદીએ 51 શક્તિપીઠોમાંના પ્રાચીન જશોરેશ્વરી કાલી મંદિરમાં દેવી કાલીની પૂજા-અર્ચના કરી
વડાપ્રધાન મોદીએ 51 શક્તિપીઠોમાંના પ્રાચીન જશોરેશ્વરી કાલી મંદિરમાં દેવી કાલીની પૂજા-અર્ચના કરી

  • વડાપ્રધાન મોદી બાંગ્લાદેશના બે દિવસીય પ્રવાસે ગયા
  • 2015માં પણ વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશની મૂલાકાત લીધી હતી
  • પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇએ પણ પડોશી દેશનો પ્રવાસ કર્યો હતો

ઢાકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસે શુક્રવારનાં રોજ બાંગ્લાદેશ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્ને દેશોના સહયોગને આગળ વધારવાના ઉદ્દેશથી આજે પણ કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશે. બે દિવસનાં પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ-પશ્ચિમ સ્થિત સતખીરા અને ગોપાલગંજના જેશોરેશવરી અને ઓરકાંડી મંદિરમાં દર્શન માટે જશે.

શેખ મુજીબુર રહેમાનનાં સ્મારક પર પણ ગયા હતા

પ્રવાસના બીજા દિવસે શનિવારે વડાપ્રધાન મોદી ગોપાલગંજ જિલ્લાના તુંગીપાડામાં બંગબંધું શેખ મુજીબુર રહેમાનનાં સ્મારક પર પણ ગયા હતા. તેઓ આ સ્થાનની મૂલાકાત લેનાર પ્રથમ પ્રતિષ્ઠિત ભારતીય હશે. વડાપ્રધાનનો પૌરાણિક પરંપરાના 51 શક્તિપીઠોમાંથી એક પ્રાચીન જશોરેશ્વરી કાલી મંદિરમાં દેવી કાલીની પૂજા-અર્ચના કરી હતી અને ઓરાકાંડીમાં મતુઆ સમુદાયના પ્રતિનિધિઓ સાથે સંવાદનો પણ કાર્યક્રમ કર્યો હતો. દેશની પશ્ચિમ બંગાળ સાથેની સરહદ પાસે આવેલા સત્ખિરામાં આવેલા 'જેસોરેશ્વરી' કાલી મંદિરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર થઈ રહ્યું છે. 1971થી આ પ્રાચીન મંદિર મંગળ અને શનિવારે સાંપ્રદાયિક પૂજા કરતું આવ્યું છે. મોદીએ મૂલાકાત લઇ પૂજા-અર્ચના પણ કરી હતી.

વડાપ્રધાન મોદીએ 51 શક્તિપીઠોમાંના પ્રાચીન જશોરેશ્વરી કાલી મંદિરમાં દેવી કાલીની પૂજા-અર્ચના કરી

આ પણ વાંચોઃપશ્ચિમ બંગાળની ચૂંટણી મહત્ત્વની છે કે પછી બાંગ્લાદેશની મુલાકાત?

વડાપ્રધાને વર્ષ 2015માં બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો

શનિવારે બપોરે વડાપ્રધાન મોદી કાર્યાલયમાં હસીના સાથે વાત કરી હતી. આ દરમિયાન પાંચ MOU પર હસ્તાક્ષર થવાની સંભાવના હતી. કેટલીક પરિયોજનાનું પણ ડિજિટલના માધ્યમથી તેઓએ ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ સ્વદેશ જતા પહેલા તેઓ રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદની પણ મુલાકાત લીધી હતી. PM મોદી બાંગ્લાદેશ પ્રવાસે એવા સમયે આવ્યા છે જ્યારે પાડોશી દેશ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દીની ઉજવણી કરી રહ્યો હતો, દેશની આઝાદીના 50 વર્ષ અને ભારત-બાંગ્લાદેશ સંબંધોની સ્થાપનાનાં 50 વર્ષ પૂરાં થવા પર સમારોહ યોજાયો હતો. વડાપ્રધાને આ પહેલા વર્ષ 2015માં બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો

વડાપ્રધાન મોદીએ 51 શક્તિપીઠોમાંના પ્રાચીન જશોરેશ્વરી કાલી મંદિરમાં દેવી કાલીની પૂજા-અર્ચના કરી

આ પણ વાંચોઃLIVE : વડાપ્રધાન મોદી પહોચ્યા બાંગ્લાદેશ

બે દિવસીય પ્રવાસનો પ્રથમ દિવસ

બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી મુજીબ વર્ષ સહિત અન્ય કાર્યક્રમોના સમારોહમાં શુક્રવારે આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાવર સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારકનો પ્રવાસ કર્યો અને 1971માં બાંગ્લાદેશની આઝાદીની લડાઇનાં શહાદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે સ્મારક સ્થળે અર્જુનનો એક છોડ પણ રોપ્યો હતો.

વડાપ્રધાન મોદીએ 51 શક્તિપીઠોમાંના પ્રાચીન જશોરેશ્વરી કાલી મંદિરમાં દેવી કાલીની પૂજા-અર્ચના કરી

અટલ બિહારી વાજપેયીએ 1999માં પડોશી દેશનો પ્રવાસ કર્યો હતો

આ જ પરિસરમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ એક છોડ રોપ્યો હતો. જ્યારે તેઓ 1999માં આ પડોશી દેશનો પ્રવાસ કર્યો હતો. વડાપ્રધાને ત્યારબાદ બાંગ્લાદેશમાં 14 પક્ષ વાળા ગઠબંધન નેતાઓ અને તેમના સંયોજકની મૂલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બન્ને દેશોનાં સંબંધો અને તીવ્રતાના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ સામુદાયિક નેતાઓ, જેમાં અલ્પસંખ્યાના સમુદાયના પ્રતિનિધિ, બાંગ્લાદેશી મુક્તિયોધ્ધા અને ફ્રેન્ડસ ઓફ ઇન્ડિયા એન્ડ યૂથ આઇકોન્સનાં પ્રતિનિધિ પણ સામેલ હતા. આ પહેલા ઢાકા પહોંચ્યા પછી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.

Last Updated : Mar 27, 2021, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details