ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું - બાયપાસ સર્જરી બાદ તબિયતમાં સુધાર - રાષ્ટ્રપતિ ભવનના ટ્વિટ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને શુક્રવારે સવારે છાતીના દુખાવાને કારણે આરોગ્ય તપાસ માટે આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે, 1 એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે, કાર્ડિયાક બાયપાસ સર્જરી પછી તેમની હાલતમાં સુધારો આવી રહ્યો છે. તેમણે, ડોકટરો અને દેખરેખ રાખનારાઓનો આભાર માન્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું - બાયપાસ સર્જરી બાદ તબિયતમાં સુધાર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું - બાયપાસ સર્જરી બાદ તબિયતમાં સુધાર

By

Published : Apr 3, 2021, 2:24 PM IST

  • છાતીના દુખાવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
  • રાષ્ટ્રપતિને કાર્ડિયાક બાયપાસ સર્જરી બાદ હાલતમાં સુધારો
  • ડૉકટરો અને દેખરેખ રાખનારાઓનો આભાર માન્યો હતો

નવી દિલ્હી:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે કહ્યું હતું કે, કાર્ડિયાક બાયપાસ સર્જરી પછી તેમની હાલતમાં સુધારો આવી રહ્યો છે. તેમણે, ડોકટરો અને ધ્યાન રાખનારાઓનો આભાર માન્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, દેશ-વિદેશના લોકો અને નેતાઓના સંદેશાઓથી તેઓ અભિભૂત થયા છે. જેમાં, તેઓ જલ્દી સ્વસ્થ થવાની કામના કરે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, "આ માટે શબ્દો દ્વારા આભાર વ્યક્ત કરવો ખૂબ મુશ્કેલ છે."

આ પણ વાંચો:નેપાળના રાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદના સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી

સર્જરીથી તબિયતમાં સુધાર

નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ કોવિંદની મંગળવારે નવી દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS) માં કાર્ડિયાક બાયપાસ સર્જરી કરાઈ હતી. રાષ્ટ્રપતિ ભવનના ટ્વિટમાં કહ્યું છે કે, બાયપાસ સર્જરી પછી મારી હાલતમાં સુધારો થઈ રહ્યો છે. ડૉકટરો અને દેખરેખ રાખનારાઓનો આભાર."

આ પણ વાંચો:રામનાથ કોવિંદ હોસ્પિટલમાં દાખલ, ડૉક્ટરે આપી બાયપાસ સર્જરી કરાવવાની સલાહ

દેશ-વિદેશના લોકોનો આભાર: રાષ્ટ્રપતિ

આ સાથે તેમણે કહ્યું હતું કે, "દેશ-વિદેશના લોકો અને નેતાઓના સંદેશાઓથી તેઓ અભિભૂત થયા છે. જેમાં, તેઓ જલ્દી સ્વસ્થ થવાની કામના કરે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, "આ માટે શબ્દો દ્વારા આભાર વ્યક્ત કરવો ખૂબ મુશ્કેલ છે."

PM મોદીએ રાષ્ટ્રપતિના આરોગ્ય અંગેની જાણકારી આપી હતી

એઈમ્સના કાર્ડિયોલોજી સર્જન ડો. એ. કે. બિસોઈકેની દેખરેખ હેઠળ રાષ્ટ્રપતિની સારવાર ચાલી રહી છે. તેમની જ દેખરેખ હેઠળ એઈમ્સ હોસ્પિટલમાં રાષ્ટ્રપતિની બાયપાસ સર્જરી થાય તેવી શક્યતા છે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના આરોગ્ય અંગેની જાણકારી આપી હતી. આ સાથે જ વડાપ્રધાને રાષ્ટ્રપતિ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details