તેજપુરઃઆસામ પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેજપુર પહોંચ્યા હતા. અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એરફોર્સ બેઝ પરથી સુખોઈ 30 ફાઈટર એરક્રાફ્ટથી ઉડાન ભરી હતી. આ પહેલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે 2009માં અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે 2006માં આ સાહસ કર્યું હતું. શુક્રવારે, તેમના પ્રવાસના બીજા દિવસે, રાષ્ટ્રપતિએ ગુવાહાટીમાં ગજરાજ ઉત્સવ-2023નું ઉદ્ઘાટન કર્યું. જ્યાં તેમણે માણસ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધ પર પ્રકાશ પાડ્યો હતો.
President Droupadi Murmu: રાષ્ટ્રપતિ મુર્મુએ સુખોઈ 30 MKI ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી - Fly A Sortie On Sukhoi 30
શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આસામના તેજપુર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. અહીંથી રાષ્ટ્રપતિ મુર્મુએ સુખોઈ 30 MKI ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી. જે ભારતીય વાયુ સેનાનું લડાકુ વિમાન છે. એમાં પુરતી સુરક્ષા વ્યવસ્થા અને ખાસ પ્રકારના ડ્રેસ સાથે રાષ્ટ્રપતિએ હવાઈસફર માણી હતી.
![President Droupadi Murmu: રાષ્ટ્રપતિ મુર્મુએ સુખોઈ 30 MKI ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી Etv BharatPresident Droupadi Murmu: રાષ્ટ્રપતિ મુર્મુએ સુખોઈ 30 MKI ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/1200-675-18199773-thumbnail-16x9-murmu.jpg)
શું બોલ્યા રાષ્ટ્રપતિઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના એક સંબોધનમાં કહ્યું હતું કે, પ્રકૃતિમાં દરેક વ્યક્તિ માટે કંઈક ને કંઈક છે. માનવતા અને પ્રકૃતિ વચ્ચેના સંબંધથી વધુ પવિત્ર કંઈ નથી. આપણે માણસોએ આપણા કામથી પશુ-પક્ષીઓને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આપણે આપણા જીવનમાં એવી અનુશાસન લાવવું જોઈએ. જેથી પૃથ્વી માતાને કોઈ નુકસાન ન થાય. તેણે કાંજીરંગા નેશનલ પાર્કમાં હાથીને ખવડાવ્યું. જીપ દ્વારા બગીચાની મુલાકાત પણ લીધી હતી.
આ પણ વાંચોઃ Kiran Kumar Reddy: કોંગ્રેસને વધુ એક ઝટકો, આંધ્રપ્રદેશના પૂર્વ CM કિરણ રેડ્ડી ભાજપમાં જોડાયા
હાથી મામલે અપીલઃરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકોને હાથીઓ સાથે સારો વ્યવહાર કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે હાથીઓના રહેઠાણ અને રસ્તાઓને અવરોધ મુક્ત રાખવા જોઈએ. જેથી હાથીને કોઈ પ્રકારની પરેશાની ન વેઠવી પડે. તે કુદરતના વાતાવરણમાં સરળતાથી જીવી શકે. તેઓ ગુરુવારે ગુવાહાટી પહોંચ્યા હતા. જ્યાં પ્રોટોકોલ મુજબ આસામના સીએમએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા પણ હાજર હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભારતીય વાયુસેનાના સુખોઈ ફાઈટર જેટમાં ઉડાન ભરી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુખોઈ-30 MIK ફાઈટર જેટમાં કો-પાઈલટની સીટ પર બેસીને આસામના તેજપુર એર બેઝથી ફ્લાઇટ પૂર્ણ કરી હતી.