ગુજરાત

gujarat

By

Published : Oct 18, 2021, 2:56 PM IST

ETV Bharat / bharat

ઝારખંડમાં T-20 વર્લ્ડ કપ પર રાજકારણ

ઝારખંડમાં ટી20 વર્લ્ડ કપમાં 24 ઓક્ટોબરે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચને લઈને રાજકારણ શરૂ થયું છે. જ્યારે બીજેપીના ધારાસભ્ય સીપી સિંહે પાકિસ્તાન સાથે મેચ ન રમવાની વાત કરી છે, જેએમએમ રમતો દ્વારા સંવાદિતા વધારવાની હિમાયત કરી રહી છે.

ઝારખંડમાં T-20 વર્લ્ડ કપ પર રાજકારણ
ઝારખંડમાં T-20 વર્લ્ડ કપ પર રાજકારણ

  • ભારત-પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપ 24 ઓક્ટોબરે રમાવાનો છે
  • મનોજ પાંડેરમત બે દેશો વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બનાવી શકે છેઃ મનોજ પાંડે
  • પાકિસ્તાનની તુલના કૂતરાની પૂંછડી સાથે કરીઃ સીપી સિંહે

રાંચી: ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડ કપ 24 ઓક્ટોબરે રમાવાનો છે. દરેક ભારતીય પાકિસ્તાન સાથેની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ વખતે મામલો જુદો છે. પાકિસ્તાનના ઈશારે કાશ્મીરમાં બિન-મુસ્લિમો અને બહારના લોકોની હત્યા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, ચર્ચા છે કે શું ભારતે પાકિસ્તાન સાથે મેચ રમવી જોઈએ.

સીપી સિંહે પાકિસ્તાનને આડે હાથે લીધું

આ બાબતે ઝારખંડની રાજધાની રાંચીથી ભાજપના ધારાસભ્ય સીપી સિંહે કહ્યું છે ,કે આવા દેશ સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ. આ ભારતના બહુમતીનો ઈરાદો છે. સીપી સિંહે પાકિસ્તાનની તુલના કૂતરાની પૂંછડી સાથે કરી હતી. તેમણે કહ્યું કે જે દેશ ભારતમાં આતંકવાદી ઘટનાઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ રણનીતિ અપનાવે છે તેની સાથે કોઈ સંબંધનો કોઈ અર્થ નથી.

ખેેલ જગત સબંધ વધારશે

તો બીજી બાજુ, ઝારખંડના શાસક પક્ષ જેએમએમનો આ મુદ્દે અલગ મત છે. પાર્ટી પ્રવક્તા મનોજ પાંડેએ કહ્યું કે રમત એક રમત હોય છે. માત્ર રમત દ્વારા જ બે દેશો એકબીજા વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બનાવી શકે છે. રમતપ્રેમીઓ પણ એવું જ ઈચ્છે છે. આંતરરાષ્ટ્રીય મેચોમાં જોડાવું પણ એક મજબૂરી છે.

તો એમ પણ કહ્યુ કે કેન્દ્ર સરકાર પોતાની નિષ્ફળતાઓનો દોષ પાકિસ્તાન પર કેમ આપે છે. શું આપણે એટલા સક્ષમ નથી કે એક રાષ્ટ્ર પાકિસ્તાન સાથે એક જ પદ પરથી સ્પર્ધા કરી શકે? અગાઉની કોંગ્રેસ સરકારે ઘણી વખત પાકિસ્તાનને ધૂળમાં ઉતાર્યું છે. તેને બે ટુકડા કરી દીધા. પરંતુ હાલની સરકાર પાકિસ્તાનની ધૂન ગાઈને મતની રાજનીતિ કરે છે. કાશ્મીરની હાલની સ્થિતિ માટે કોણ જવાબદાર છે. વડાપ્રધાન આ મુદ્દે કેમ બોલતા નથી?

આ પણ વાંચોઃ આજથી શરૂ થશે ટી 20 વર્લ્ડ કપ, જાણો શું છે ભારતનું શેડ્યૂલ

આ પણ વાંચોઃ 11 વર્ષીય જમશેદપુરની બાળકીએ ડઝન કેરી 1.2 લાખ રૂપિયામાં વેચીને ઓનલાઇન ક્લાસ માટે સ્માર્ટફોન ખરીદ્યો

ABOUT THE AUTHOR

...view details