ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે 'બિહાર દિવસ' પર આપી શુભેચ્છા - pm modi congratulated people on bihar diwas

બિહારના સ્થાપનાના 109 વર્ષ પુરા થતા વડાપ્રધાન, દેશના ગૃહપ્રધાન, બિહારના રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને વિપક્ષી નેતા સહિતના લોકોએ બિહારના લોકોને અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, . આ રાજ્ય તેના ગૌરવશાળી ભૂતકાળ અને સમૃદ્ધ સંસ્કૃતિ માટે વિશેષ ઓળખ ધરાવતો આ પ્રદેશ વિકાસના નવા પરિમાણો બનાવી રહ્યું છે.

વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે 'બિહાર દિવસ' પર આપી શુભેચ્છા
વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે 'બિહાર દિવસ' પર આપી શુભેચ્છા

By

Published : Mar 22, 2021, 2:02 PM IST

  • બિહાર ગૌરવશાળી ભૂતકાળ અને સંસ્કૃતિની વૈશ્વિક સ્તરે અલગ ઓળખ
  • બિહારે ભારતને દરેક ક્ષેત્રે આગળ વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવી
  • મુખ્યપ્રધાન નીતીશ કુમાર અને વિપક્ષી નેતા તેજસ્વી યાદવે આપી શુભકામનાઓ

પટણા (બિહાર): બિહાર ગૌરવશાળી ભૂતકાળ અને મહાન સંસ્કૃતિ માટે માત્ર દેશભરમાં જ નહીં પણ વૈશ્વિક સ્તરે પણ તેની એક અલગ ઓળખ ધરાવે છે. 22 માર્ચ 1912ના રોજ, બંગાળના ભાગલાને કારણે બિહાર રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. આજે 22 માર્ચે બિહારના 109માં સ્થાપના દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને રાજ્યની જનતાને અભિનંદન શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો:અમદાવાદના સ્થાપના દિવસની અનોખી ઉજવણી

વડાપ્રધાન મોદીનું ટ્વિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે કે, રાજ્યના તમામ રહેવાસીઓને બિહાર દિવસની શુભકામનાઓ. આ રાજ્ય, તેના ગૌરવશાળી ભૂતકાળ અને સમૃદ્ધ સંસ્કૃતિ માટે વિશેષ ઓળખ ધરાવતો આ પ્રદેશ વિકાસના નવા પરિમાણો બનાવી રહ્યું છે.

ગૃહપ્રધાન અમિત શાહનું ટ્વિટ

ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કર્યું હતું કે, બિહારનું પોતાનું જ્ઞાન અને સખત મહેનતથી ભારતને દરેક ક્ષેત્રે આગળ વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આજે 'બિહાર દિવસ' નિમિત્તે હું રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવું છું અને રાજ્યની સતત પ્રગતિ અને સમૃદ્ધિની કામના કરું છું.

આ પણ વાંચો:જાણો, ગુજરાત સ્થાપના દિવસે CM વિજય રૂપાણીએ શું સંકલ્પ લીધો ?

કોરોનાને કારણે કાર્યક્રમ યોજવામાં આવ્યો નથી

મળતી માહિતી મુજબ, બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણ, મુખ્યપ્રધાન નીતીશ કુમાર અને વિપક્ષી નેતા તેજસ્વી યાદવે પણ લોકોને બિહાર દિવસની શુભેચ્છા પાઠવી હતી. બિહારની સ્થાપનાના 109 વર્ષ પૂરા થવા પર મુખ્યપ્રધાને આશા વ્યક્ત કરી કે, બિહાર પ્રગતિ અને સમૃદ્ધિના માર્ગ પર આગળ વધશે. આ વખતે બિહાર દિવસે કોરોનાને ધ્યાનમાં રાખીને કોઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details