ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીને આજે પર્યાવરણ ક્ષેત્રમાં યોગદાન માટે વૈશ્વિક ઊર્જા અને પર્યાવરણ લીડરશીપ એવોર્ડ મળશે - કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્સ વીક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્સ વીક (સેરાવીક)ના વૈશ્વિક ઊર્જા અને પર્યાવરણ લીડરશીપ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સન્માન સમારોહમાં ભાગ લેશે.

PM મોદીને આજે પર્યાવરણ ક્ષેત્રમાં યોગદાન માટે વૈશ્વિક ઊર્જા અને પર્યાવરણ લીડરશીપ એવોર્ડ મળશે
PM મોદીને આજે પર્યાવરણ ક્ષેત્રમાં યોગદાન માટે વૈશ્વિક ઊર્જા અને પર્યાવરણ લીડરશીપ એવોર્ડ મળશે

By

Published : Mar 5, 2021, 11:06 AM IST

Updated : Mar 5, 2021, 1:17 PM IST

  • ડોક્ટર ડેનિયલ યેરગિને 1983માં સેરાવીકની સ્થાપના કરી હતી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારોહમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે
  • દર વર્ષે માર્ચ મહિનામાં હ્યુસ્ટનમાં સેરાવીકનું આયોજન કરવામાં આવે છે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્સ વીક (સેરાવીક)ના વૈશ્વિક ઊર્જા અને પર્યાવરણ લીડરશીપ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. વડાપ્રધાન મોદી આ સમારોહમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહેશે. આ સાથે જ વડાપ્રધાન આ સમારોહને સંબોધિત પણ કરશે.

વાંચો: કેવડિયામાં આજથી કમાન્ડર કોન્ફરન્સ, શનિવારે PM મોદી કરશે સંબોધન

વૈશ્વિક ઊર્જા અને પર્યાવરણના ક્ષેત્રમાં પ્રતિબદ્ધ નેતૃત્વ માટે આ પુરસ્કાર અપાય છે

ડોક્ટર ડેનિયલ યેરગિને 1983માં સેરાવીકની સ્થાપના કરી હતી. આની સ્થાપના પછી દરેક વર્ષે માર્ચ મહિનામાં હ્યુસ્ટનમાં સેરાવીકનું આયોજન થાય છે. આની ગણતરી વિશ્વના અગ્રણી ઊર્જા ફોરમમાં થાય છે. આ વર્ષે આ સમારોહનું આયોજન ડિજિટલ માધ્યમથી 1થી 5 માર્ચ સુધી કરાયું છે. સેરાવીક વૈશ્વિક ઊર્જા અને પર્યાવરણ લીડરશીપ પુરસ્કારની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. વૈશ્વિક ઊર્જા અને પર્યાવરણના ક્ષેત્રમાં પ્રતિબદ્ધ નેતૃત્વ માટે આ પુરસ્કાર અપાય છે.

Last Updated : Mar 5, 2021, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details