ગુજરાત

gujarat

વડાપ્રધાનને ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસીમાં કોવિડ -19ની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી

By

Published : Apr 18, 2021, 3:32 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસી જિલ્લામાં કોવિડ -19 ની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન વડાપ્રધાને કોરોના દર્દીઓની યોગ્ય સારવાર વિશે પૂછપરછ કરી હતી.

વડાપ્રધાનને ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસીમાં કોવિડ -19ની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી
વડાપ્રધાનને ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસીમાં કોવિડ -19ની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી

  • વારાણસીમાં કોરોનાના વધતા જતા કેસને લઈ વડાપ્રધાને કરી સમીક્ષા બેઠક
  • વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા બેઠક કરી વારણસીમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી મેળવી
  • લોકોને તમામ સહાય પૂરી પાડવા અધિકારીઓને નિર્દેશ આપ્યા

વારાણસી(ઉત્તરપ્રદેશ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વારાણસી જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસને લઈ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન, વડા પ્રધાન દ્વારા કોરોના સંક્રમીત દર્દીઓની યોગ્ય સારવાર માટે ટેસ્ટીંગ, બેડ, દવાઓ, વેક્સિન વગેરે વિશેની માહિતી મેળવી હતી.

વડાપ્રધાનને ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસીમાં કોવિડ -19ની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી

વહીવટી તંત્રને વારાણસીના લોકોને સંપૂર્ણ સંવેદનશીલતા સાથે તમામ શક્ય સહાય પૂરી પાડવા જણાવ્યું

વડાપ્રધાને લોકોને તમામ સહાય પૂરી પાડવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. ચર્ચા દરમિયાન વડા પ્રધાને ખાસ ભાર મૂક્યો હતો કે 'બે ફૂટનું અંતર અને માસ્ક જરૂરી છે જેથી બધા લોકોએ તેને અનુસરવું જોઈએ. રસીકરણ અભિયાનના મહત્વ પર ભાર મૂકતાં વડાપ્રધાને કહ્યું કે, વહીવટી તંત્રએ 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિનેશન અંગે જાગૃત કરવા જોઈએ. તેમણે વહીવટી તંત્રને વારાણસીના લોકોને સંપૂર્ણ સંવેદનશીલતા સાથે તમામ શક્ય સહાય પૂરી પાડવા જણાવ્યું હતું. વડાપ્રધાને દેશના તમામ તબીબો અને તમામ તબીબી કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે, આ સંકટની ઘડીમાં પણ તેઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ કોરોના સંક્રમણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

વડાપ્રધાન સામાન્ય લોકોનો સતત પ્રતિસાદ પણ લઈ રહ્યા છે

વડાપ્રધાને કહ્યું કે, વારાણસીના પ્રતિનિધિ તરીકે તેઓ સામાન્ય લોકોનો સતત પ્રતિસાદ પણ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લા 5-6 વર્ષમાં વારાણસીમાં તબીબી માળખાકીય સુવિધાના વિસ્તરણ અને આધુનિકીકરણથી કોરોના સામે લડવામાં મદદ મળી છે. આ સાથે વારાણસીમાં બેડ, ICU અને ઓક્સિજનની ઉપલબ્ધતામાં વધારો કરવામાં આવી રહ્યો છે. દર્દીઓની વધતી સંખ્યા દ્વારા સર્જાતા દબાણને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને દરેક સ્તરે પ્રયત્નો વધારવાની જરૂરિયાત પર પણ વિશેષ ભાર મૂક્યો હતો.

આ પણ વાંચોઃ વારાણસીમાં વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન નાખવા ભૂમિપૂજન

વડાપ્રધાને ત્રણ T ઉપર ભાર મુકવા જણાવ્યું

વડાપ્રધાન મોદીએ Test, Track, Treat પર ભાર મૂકતાં કહ્યું કે, first waveની જેમ વાઈરસથી જીતવા માટે સમાન રણનીતિ અપનાવવી પડશે. તેમણે સંક્રમિત દર્દીઓના contract tracing અને test reportsને જલ્દી ઉપલબ્ધ કરવાા પર પણ ભાર મૂક્યો હતો. તેઓએ home isolation રહેતા દર્દીઓ અને તેમના પરિવારો પ્રત્યે પણ તમામ જવાબદારીઓ નિભાવવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ વડાપ્રધાને વારાણસી એનજીઓની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓએ જે રીતે સરકાર સાથે કામ કર્યું છે, ત્યારે તેને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ તકેદારી અને સાવચેતી રાખવાની જરૂર પર ભાર મૂક્યો હતો.

ABOUT THE AUTHOR

...view details