ગુજરાત

gujarat

By

Published : Jun 23, 2021, 11:59 AM IST

Updated : Jun 23, 2021, 1:43 PM IST

ETV Bharat / bharat

Death Anniversary Of Syama Prasad Mookerjee : વડાપ્રધાન, ગૃહપ્રધાન અને કેન્દ્રીયપ્રધાને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી

Death Anniversary Of Syama Prasad Mookerjee : ભારતીય જનસંઘ (Bharatiya Jana Sangh)ના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi)એ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, શ્યામા પ્રસાદ મુખરજીને તેમની પુણ્યતિથિ પર યાદ કરૂ છું. રાષ્ટ્રીય એકતા (National Unity) માટેના તેમના પ્રયત્નોને ક્યારેય ભૂલી શકાશે નહિ.

શ્યામા પ્રસાદ મુખરજી
શ્યામા પ્રસાદ મુખરજી

  • શ્યામા પ્રસાદ મુખરજીના પ્રયત્નોને ક્યારેય ભૂલી શકાશે નહિ
  • શ્યામા પ્રસાદ મુખરજી 1951માં ભારતીય જન સંઘની સ્થાપના કરી
  • ભારતીય જન સંઘના પ્રથમ પ્રમુખ બન્યા

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi)એ બુધવારે ભારતીય જનસંઘ (Bharatiya Jana Sangh)ના સ્થાપક શ્યામા પ્રસાદ મુખરજી (Syama Prasad Mookerjee)ને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓએે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા (National Unity) માટેના તેમના પ્રયત્નોને ક્યારેય ભૂલી શકાશે નહિ. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે, "શ્યામા પ્રસાદ મુખરજીને તેમની પુણ્ય તિથિ પર યાદ કરીએ છીએ. તેમના ઉમદા આદર્શો, સમૃદ્ધ વિચારો અને લોકોની સેવા કરવાની કટિબદ્ધતા આપણને પ્રેરણારૂપ બનાવશે. રાષ્ટ્રીય એકતા પ્રત્યેના તેમના પ્રયત્નો ક્યારેય ભૂલી નહીં શકાય." તેવું વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું.

માતૃભાષાને શિક્ષણનું માધ્યમ બનાવવાની તરફેણમાં હતા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) જણાવ્યુંં કે, મુખરજીએ દેશની ઓળખ અને અખંડિતતાની રક્ષા માટે બલિદાન (Sacrifice) આપ્યું છે. તેઓએ ભારપૂર્વક જણાવ્યુંં કે, નેતાએ ભારતના ફરીથી ભાગલા પડવામાંંથી બચાવ્યુંં હતું. "સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના ઘડવૈયા ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી, માતૃભાષાને શિક્ષણ (education in mother tongue)નું માધ્યમ બનાવવાની તરફેણમાં હતા. તેઓ માને છે કે, વિકાસમાં લોકોની ભાગીદારી વિના કોઈ પણ દેશ પ્રગતિ કરી શકશે નહિ. તેમણે રાષ્ટ્રના નિર્માણના હેતુ સાથે જનસંઘની સ્થાપના કરી છે. તેવું અમિત શાહએ ટ્વીટ કર્યું હતું.

તેમના 'બલિદાન દિવસ' પર આવા દેશભક્તોને સલામ."

"ડૉ. મુખરજીએ દેશની ઓળખ અને અખંડિતતાની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. તેમણે ભારતના ફરીથી ભાગલા પાડતા બચાવ્યા હતા. તેમનો બલિદાન, સમર્પણ અને તેમના આદર્શો (Ideal) આગામી પેઢીઓને માર્ગદર્શન આપશે. તેમના 'બલિદાન દિવસ' (Sacrifice Day) પર આવા દેશભક્તોને સલામ." તેમણે અન્ય એક ટ્વીટમાં જણાવ્યું હતું.

શ્રીનગરમાં રહસ્યમય સંજોગોમાં અંતિમ શ્વાસ લીધા હતા

કેન્દ્રીય પ્રધાન ડૉ. જિતેન્દ્રસિંહે (Union Minister Dr Jitendra Singh) પણ મુખરજીને શ્રદ્ધાંજલિ આપી હતી અને ટ્વીટ કર્યું હતું કે, 11 મે, 1953ના રોજ જમ્મુ એન્ડ કશ્મિરના એન્ટ્રી પોઇન્ટ જિલ્લા કઠુઆમાં ધરપકડ થયા બાદ "આજથી 68 વર્ષ પહેલા, શ્યામા પ્રસાદ મુખરજીએ શ્રીનગરમાં રહસ્યમય સંજોગોમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની પુણ્ય તિથિ પર તેમને નમ્ર શ્રદ્ધાંજલિ."

નહેરૂ અને પાકિસ્તાનના વડાપ્રધાનના કરાર પછી તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું

ભારતીય જન સંઘની સ્થાપના 1951માં થઈ હતી. તે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની વૈચારિક પિતૃ સંગઠન છે. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ (Pandit Jawaharlal Nehru)એ ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન તરીકે મુકરજીને વચગાળાની સરકારમાં ઉમેર્યા હતા. પરંતુ નહેરૂ અને પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી વચ્ચેના કરાર બાદ તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. વર્ષ 1953 માં 23 જૂને, તે રહસ્યમય સંજોગોમાં જેલમાં મૃત્યુ પામ્યા હતા.

1951ના રોજ મુખરજીએ દિલ્હીમાં ભારતીય જનસંઘની સ્થાપના કરી

BJPની સત્તાવાર વેબસાઇટ મુજબ લિકાત અલી ખાન સાથેના દિલ્હી કરારના મુદ્દે મુકરજીએ 6 એપ્રિલ, 1950ના રોજ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદમાં 21 ઓક્ટોબર, 1951ના રોજ મુખરજીએ દિલ્હીમાં ભારતીય જનસંઘની સ્થાપના કરી અને તેના પહેલા પ્રમુખ બન્યા હતા. મુખરજી 1953માં કાશ્મીરની મુલાકાતે ગયા હતા અને 11 મેના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. 23 જૂને 1953માં તેમનું "દેતેનુ" તરીકે અવસાન થયું હતું.

Last Updated : Jun 23, 2021, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details