ગુજરાત

gujarat

By

Published : Jul 5, 2021, 12:08 PM IST

ETV Bharat / bharat

PM Modiએ LJPના સંસ્થાપક રામવિલાસ પાસવાનને તેમની જન્મજંયતી નિમિત્તે આપી શ્રદ્ધાંજલિ

લોક જનશક્તિ પાર્ટી (Lok Janshakti Party)ના સંસ્થાપક રામવિલાસ પાસવાન (Ramvilas Paswan)ની આજે જન્મજયંતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ રામવિલાસ પાસવાનને ટ્વિટ (Tweet) કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સાથે જ વડાપ્રધાને કહ્યું હતું કે, આજે મારા મિત્ર દિવંગત રામવિલાસ પાસવાનની જન્મજયંતી (Birth Anniversary of Ramvilas Paswan) છે. આજે તેમની ગેરહાજરી વર્તાઈ રહી છે. તેઓ ભારતના સૌથી વધુ અનુભવી સાંસદો અને પ્રશાસકોમાંથી એક હતા. વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં પ્રધાન રહી ચૂકેલા પાસવાનનું ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં નિધન થયું હતું.

PM Modiએ LJPના સંસ્થાપક રામવિલાસ પાસવાનને તેમની જન્મજંયતી નિમિત્તે આપી શ્રદ્ધાંજલિ
PM Modiએ LJPના સંસ્થાપક રામવિલાસ પાસવાનને તેમની જન્મજંયતી નિમિત્તે આપી શ્રદ્ધાંજલિ

  • લોક જનશક્તિ પાર્ટી (LJP)ના સંસ્થાપક રામવિલાસ પાસવાનની આજે જન્મજયંતી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ટ્વિટ (Tweet) કરી રામવિલાસ પાસવાન (Ramvilas Paswan)ને પાઠવી શ્રદ્ધાંજલિ (Tribute)
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની નેતૃત્વવાળી સરકારમાં પ્રધાન (Minister) રહી ચૂકેલા પાસવાનનું ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં થયું હતું નિધન (Death)

નવી દિલ્હીઃ દલિત નેતા અને લોક જનશક્તિ પાર્ટી (LJP)ના સંસ્થાપક રામવિલાસ પાસવાન (Ram Vilas Paswan)ની આજે જન્મજયંતી હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આજે (સોમવારે) કહ્યું કે, જનસેવા અને વંચિતો, દલિતોને સશક્ત બનાવવામાં તેમનું યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં પ્રદાન રહી ચૂકેલા પાસવાનનું ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં નિધન થયું હતું. તેઓ સૌથી અનુભવી સાંસદોમાંથી એક હતા અને તેમણે સમાજવાદી સમૂહોને લઈને કોંગ્રેસ અને ભાજપ સહિત વિવિધ દળોની સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી.

વડાપ્રધાને ટ્વિટ કરી રામવિલાસ પાસવાનને આપી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો-દલિતોના નેતા તરીકે ઓળખાતાં પાસવાનની રાજકીય સફર વિશે જાણીએ..

વડાપ્રધાને ટ્વિટ કરી રામવિલાસ પાસવાનને આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, આજે મારા મિત્ર દિવંગત રામવિલાસ પાસવાનની જન્મજયંતી છે. આજે તેમની ગેરહાજરી વર્તાઈ રહી છે. તેઓ ભારતના સૌથી અનુભવી સાંસદો અને પ્રશાસકોમાંથી એક હતા. જનસેવા અને વંચિતોના સશક્તિકરણમાં તેનું યોગદાન હંમેશા યાદ રહેશે.

આ પણ વાંચો-Tribute: પાટણમાં BJP દ્વારા Dr. Shyamaprasad mukherjee ને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

રામવિલાસ પાસવાનના નિધન પછી LJPમાં થઈ રહ્યા છે ધમપછાડા

ઉલ્લેખનીય છે કે, રામવિલાસ પાસવાનના નિધન પછી તેમની પાર્ટીની અંદર ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. તેમના પૂત્ર ચિરાગ પાસવાન અને તેમના ભાઈ પશુપતિ કુમાર પારસ બંનેએ પાસવાનની રાજકીય વારસા પર દાવો વ્યક્ત કર્યો છે. ચિરાગ પોતાના પિતાની પરંપરાગત લોકસભા બેઠક હાજીપુરથી પ્રવાસ શરૂ કરવાના છે, જેથી તેમના પક્ષમાં પાર્ટી સમર્થકોને જોડી શકાય.

ABOUT THE AUTHOR

...view details