ગુજરાત

gujarat

PM Modi Interaction With DMs: PM મોદીએ કહ્યું- લોકભાગીદારીથી આવે છે વધુ સારા પરિણામ, કોઈપણ જિલ્લો પાછળ ન રહેવો જોઇએ

By

Published : Jan 22, 2022, 4:06 PM IST

PM મોદીએ વિવિધ જિલ્લાના DM સાથે વાતચીત (PM Modi Interaction With DMs) કરતા જણાવ્યું કે, જનભાગીદારીથી વધુ સારા પરિણામો આવે છે. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપણા દરેક ગામ સુધી પહોંચે તે મહત્વપૂર્ણ છે. તેમણે મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં જે કામ થયું તેને યુનિવર્સિટીઓ માટે અભ્યાસનો વિષય ગણાવ્યું છે.

PM Modi Interaction With DMs: PM મોદીએ કહ્યું- લોકભાગીદારીથી આવે છે વધુ સારા પરિણામ, કોઈપણ જિલ્લો પાછળ ન રહેવો જોઇએ
PM Modi Interaction With DMs: PM મોદીએ કહ્યું- લોકભાગીદારીથી આવે છે વધુ સારા પરિણામ, કોઈપણ જિલ્લો પાછળ ન રહેવો જોઇએ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ જિલ્લાના DM સાથે વાતચીત (PM Modi Interaction With DMs) કરતી વખતે કહ્યું હતું કે, જનભાગીદારીથી વધુ સારા પરિણામો આવે છે. તેમણે કહ્યું કે, જ્યારે બીજાના સપના પૂરા કરવા એ પોતાની સફળતાનું માપદંડ બની જાય, ત્યારે તે કર્તવ્ય માર્ગ ઇતિહાસ રચે છે. આજે આપણે દેશના મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આ ઈતિહાસ રચાતા જોઈ રહ્યા છીએ. આજે, મહત્વાકાંક્ષી જિલ્લાઓ દેશની પ્રગતિના અવરોધોને દૂર કરી રહ્યા છે.

મૌન ક્રાંતિનો સાક્ષી બની રહ્યો છે દેશ

PM મોદીએ કહ્યું કે, તમારા બધાના પ્રયાસોથી મહત્વાકાંક્ષી જિલ્લાઓ ગતિરોધકને બદલે ગતિવર્ધક બની રહ્યા છે. જે જિલ્લાઓ એક સમયે ઝડપી પ્રગતિ કરી રહ્યા હોવાનું માનવામાં આવતું હતું, આજે આ મહત્વાકાંક્ષી જિલ્લાઓ પણ ઘણા માપદંડોમાં સારી કામગીરી દર્શાવે છે. તેમણે કહ્યું કે, દેશ ડિજિટલ ઈન્ડિયાના રૂપમાં મૌન ક્રાંતિ (Digital India Revolution)નો સાક્ષી બની રહ્યો છે. આમાં આપણો કોઈપણ જિલ્લો (Development in Districts of India) પાછળ ન રહેવો જોઈએ.

ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દરેક ગામ સુધી પહોંચે તે જરૂરી

PM મોદીએ જણાવ્યું કે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Digital infrastructure In Villages Of India) આપણા દરેક ગામ સુધી પહોંચે, સેવાઓ અને સુવિધાઓની ડોર સ્ટેપ ડિલિવરીનું માધ્યમ બને. બીજો અભિગમ એ હતો કે, મહત્વાકાંક્ષી જિલ્લાઓના અનુભવોના આધારે અમે કાર્યશૈલીમાં સતત સુધારો કર્યો. અમે કાર્યની આવી પદ્ધતિ નક્કી કરી છે, જેમાં માપી શકાય તેવા સૂચકઆંકોની પસંદગી છે. મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં દેશનો પ્રથમ અભિગમ એ હતો કે, આ જિલ્લાઓની મૂળભૂત સમસ્યાઓને ઓળખવા માટે વિશેષ કાર્ય કરવામાં આવ્યું હતું. આ માટે લોકોને તેમની સમસ્યાઓ વિશે પૂછવામાં આવ્યું, તેમની સાથે જોડાયા.

મહત્વાકાંક્ષી જિલ્લાના લોકોએ સખત મહેનત કરી છે

વડાપ્રધાને કહ્યું કે, મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં રહેતા લોકો આગળ વધવાની ઝંખના ધરાવે છે. આ લોકોએ જીવનનો મોટાભાગનો સમય વંચિતતા, મુશ્કેલીઓમાં વિતાવ્યો છે. તેમણે દરેક નાની-નાની બાબતો માટે સખત મહેનત કરી છે. તેથી જ તે લોકો જોખમ લેવા, હિંમત બતાવવા માટે તૈયાર હોય છે. એકબીજાને સહકાર આપતા, એકબીજા સાથે બેસ્ટ પ્રેક્ટિસિસ શેર કરતા, એકબીજા પાસેથી શીખતા, એકબીજાને શીખવતા જે કાર્યશૈલી વિકસિત થાય છે એ સુશાસન (good governance india)ની મોટી મૂડી છે.

આ પણ વાંચો:PM Modi Interact With DMs : વડાપ્રધાન મોદી આજે વિવિધ જિલ્લાઓના DM સાથે કરશે વાતચીત

ગામે-ગામ વીજળી-શૌચાલય પહોંચ્યા

મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં જે કામ થયું છે એ મોટી મોટી યુનિવર્સિટીઓ માટે અભ્યાસનો વિષય છે. છેલ્લા 4 વર્ષમાં દેશના લગભગ દરેક મહત્વાકાંક્ષી જિલ્લામાં જન ધન ખાતા (jan dhan accounts in india)માં 4થી 5 ગણો વધારો થયો છે. લગભગ દરેક પરિવારમાં શૌચાલય છે, દરેક ગામમાં વીજળી પહોંચી છે. PMએ કહ્યું, ઘણા જિલ્લાઓમાં કુપોષણ દૂર થઈ ગયું છે. સુકમામાં 90 ટકા લોકોને રસી (Vaccination In Sukma) આપવામાં આવી. અમારી સરકારે પછાત જિલ્લાઓ પર ધ્યાન આપ્યું. એક જિલ્લાની સફળતામાંથી બીજા જિલ્લાએ શીખવું જોઈએ. ટેકનિકલી રીતે જિલ્લાઓમાં વધુ સારી કામગીરી થઈ રહી છે. ગામે-ગામ વીજળી-શૌચાલય પહોંચી ગયા છે.

આ પણ વાંચો:PM Modi Inauguration in Somnath: PM Modiએ સોમનાથમાં નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું

ABOUT THE AUTHOR

...view details