- ભોપાલમાં હબીબગંજ સ્ટેશન હવે રાણી કમલાપતિના નામે ઓળખાશે
- પીએમ મોદીએ ટ્રેનને લીલી ઝંડી દેખાડી
- રાણી કમલાપતિ સ્ટેશનની મેટ્રોથી કનેક્ટિવિટી કરવામાં આવી
ભોપાલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm modi) ભોપાલ (bhopal)ના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm narendra modi)એ આજે કમલાપતિ સ્ટેશન (rani kamplapati railway station)નું લોકાર્પણ કર્યું. આ તક પર પીએમ મોદીએ લીલી ઝંડી દેખાડીને ટ્રેનને રવાના પણ કરી. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના હબીબગંજ (madhya pradesh habibganj) સ્ટેશનનું નામ બદલીને રાણી કમલાપતિ રેલવે સ્ટેશન કરી દેવામાં આવ્યું છે. આ તક પર પીએમ મોદીએ જણાવ્યું કે, રેલવે સ્ટેશનથી રાણી કમલાપતિનું નામ જોડાવાથી આનું ગૌરવ વધી ગયું છે.
સ્ટેશન પર ભીડ અને ગંદગીથી લોકો ચિંતિત હતા
તેમણે જણાવ્યું કે, મહાકાલની નગરી ઉજ્જૈન (ujjain) અને દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર (indore)માં મેમૂ જવાથી લોકોને લાભ થશે. તેમણે જણાવ્યું કે, 6 વર્ષ પહેલા લોકો રેલવેને કોસતા હતા. સ્ટેશન પર ભીડ અને ગંદગીથી લોકો ચિંતિત હતા. તો લોકોએ આના બદલાવની આશા છોડી દીધી હતી. પીએમએ કહ્યું, લોકોને ટ્રેનની અંદર પણ સુરક્ષાની ચિંતા રહેતી હતી, પરંતુ અમારી મહેનતના પરિણામ આવવા લાગ્યા છે.
હબીબગંજ રેલવે સ્ટેશન રાણી કમલાપતિ
પીએમે જણાવ્યું કે, યાત્રીઓએ બિનજરૂરી ભાગદોડ નહીં કરવી પડે. તેમણે કહ્યું કે, રાણી કમલાપતિ સ્ટેશનની મેટ્રોથી કનેક્ટિવિટી કરવામાં આવી રહી છે. ભોપાલમાં હબીબગંજ સ્ટેશન (bhopal habibganj railway station)નું બોર્ડ હટાવીને રાણી કમલાપતિ રેલવે સ્ટેશનનું બોર્ડ લગાવી દીધું છે. શનિવારના જ હબીબગંજ સ્ટેશનનું નામ વિધિવત રીતે રાણી કમલાપતિ રેલવે સ્ટેશન થઈ ગયું છે.
આજે ભારત પોતાનો પહેલો જનજાતિય ગૌરવ દિવસ ઉજવી રહ્યું છે
ભોપાલના જંબૂરી મેદાનમાં આયોજિત જનજાતીય ગૌરવ દિવસ મહાસંમેલનમાં PM મોદી સામેલ થયા. કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું છે કે, તમામને ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ પર ઘણી શુભકામનાઓ. આજનો દિવસ આખા દેશ માટે, તમામ જનજાતિય સમાજ માટે ઘણો મોટો દિવસ છે. આજે ભારત પોતાનો પહેલો જનજાતિય ગૌરવ દિવસ મનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આઝાદી બાદ દેશમાં પહેલીવાર આટલા મોટા પ્રમાણમાં આખા દેશમાં જનજાતીય સમાજની કલા, સંસ્કૃતિ, સ્વતંત્રતા આંદોલન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને ગૌરવની સાથે યાદ કરવામાં આવી રહ્યું છે. તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે.