ગુજરાત

gujarat

By

Published : Aug 19, 2022, 10:46 AM IST

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી આજે ગોવામાં હર ઘર જલ ઉત્સવને ડિજિટલ માધ્યમથી કરશે સંબોધિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે પણજીમાં હર ઘર જલ ઉત્સવ કાર્યક્રમને ડિજિટલ માધ્યમથી સંબોધિત કરશે. મુખ્યપ્રધાન કાર્યાલયએ (CMO) જણાવ્યું હતું કે, કેન્દ્રીય જળ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત અને ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. PM Modi To Address Har Ghar Jal Utsav In Goa, Har Ghar Jal Utsav, PM Modi Will Address Program Through Digital Medium, Har Ghar Jal Utsav Program In Goa

મોદી આજે ગોવામાં હર ઘર જલ ઉત્સવને ડિજિટલ માધ્યમથી કરશે સંબોધિત
મોદી આજે ગોવામાં હર ઘર જલ ઉત્સવને ડિજિટલ માધ્યમથી કરશે સંબોધિત

ગોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે પણજીમાં 'હર ઘર જલ ઉત્સવ' કાર્યક્રમને ડિજિટલ માધ્યમથી (PM Modi To Address Har Ghar Jal Utsav In Goa) સંબોધિત કરશે. મુખ્યપ્રધાન કાર્યાલય (CMO) એ જણાવ્યું કે કેન્દ્રીય જળ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત અને ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે 10.30 કલાકે ઈન્સ્ટીટ્યુટ મેનેઝીસ બ્રાગેન્ઝા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ તેમના નિર્ધારિત સંબોધન પહેલા જળ સંરક્ષણ અને પર્યાવરણ રસિકોને કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી હતી. વડાપ્રધાને ટ્વીટ કર્યું કે, ગોવા માટે અને હર ઘર જલ સુનિશ્ચિત કરવાના અમારા પ્રયાસો માટે આ એક ખાસ દિવસ છે.

આ પણ વાંચોજન્માષ્ટમી પૂજાનો સમય અને શ્રી કૃષ્ણના પ્રિય ભોગ વિશે જાણો

હર ઘર જલ ઉત્સવ કાર્યક્રમવીડિયો કોન્ફરન્સ દ્વારા મારા મંતવ્યો શેર કરીશ. હું તમામ લોકોને વિનંતી કરીશ કે જેઓ જળ સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યે જુસ્સા ધરાવતા હોય તેઓ આ કાર્યક્રમમાં ભાગ લે. મુખ્યપ્રધાન કાર્યાલયએ જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં 100 ટકા પાઈપથી પાણી પૂરું પાડનાર ગોવા દેશનું પ્રથમ રાજ્ય છે. મુખ્યપ્રધાન કાર્યાલયએ કહ્યું કે, રાજ્યનું જાહેર બાંધકામ વિભાગ ગોવામાં યોજના માટે અમલીકરણ એજન્સી છે. સાવંત અને રાજ્યના જાહેર બાંધકામ પ્રધાન નિલેશ કાબ્રાલની હાજરીમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શેખાવત દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચોશ્રીકૃષ્ણ જન્માષ્ટમીની પહેલા જાણો કાનાને સજાવવાની અનોખી રીત

ABOUT THE AUTHOR

...view details