ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કરતારપુર પર PAKની નવી ચાલ, ગુરુદ્વારની જાળવણીમાંથી શીખોને દુર કર્યા

કરતારપુર ગુરુદ્વારને લઈ પાકિસ્તાનની નવી ચાલ સામે આવી છે. ગુરુદ્વારની જાળવણીનું કામ પાકિસ્તાન શીખ ગુરુપ્રબંધક સમિતિ પાસેથી લઈ નવી સંસ્થાને સોંપવામાં આવ્યું છે.

By

Published : Nov 5, 2020, 2:15 PM IST

કરતારપુર કોરિડોર
કરતારપુર કોરિડોર

નવી દિલ્હી: કરતારપુર ગુરુદ્વારની જાળવણીની જવાબદારી જે મેનેજમેન્ટને યૂનિટને સોંપવામાં આવી છે તેમના 9 સભ્યો Evacuee Trust Property Board (ETPB) સાથે સંપર્કમાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે, (ETPB)ને સંપુર્ણ રીતે પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈ કંટ્રોલ કરે છે.

કરતારપુર ગુરુદ્વારાની જવાબદારી

ખાસ વાત એ છે કે, ગુરુદ્વારાની જાળવણી માટે બનાવવામાં આવેલી નવી સંસ્થામાં એક પણ શીખ સભ્ય નથી. હવે કરતારપુર ગુરુદ્વારાની જવાબદારી પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટને સોંપવામાં આવી છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ યૂનિટના સીઈઓ તારિક ખાનને બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાન સરકાર તરફથી કરતારપુર ગુરુદ્વારને લઈ જાહેર કરવામાં આવેલા આદેશમાં ગુરુદ્વાર દ્વારા વ્યાપાર પ્લાન છે. આ આદેશમાં પ્રોજેક્ટ બિઝનેસ પ્લાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે ગુરુદ્વારથી હવે ઈમરાન ખાન સરકાર પૈસા કમાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.

શું છે કરતારપુર કોરિડોર

શીખોના પવિત્ર સ્થળમાં એક કરતારપુર સાહિબને ગુરુનાનક દેવનું નિવાસ સ્થાન બનાવવામાં આવ્યું છે. પાકિસ્તાનના આ સ્થાન પર જ ગુરુનાનક દેવે તેમના અંતિમ શ્વાસ લીધા હતા. પેહલા શીખ શ્રદ્ધાળું દુરબીન દ્વારા કરતારપુર ગુરુદ્વારના દર્શન કરતા હતા, પરંતુ ભારત અને પાકિસ્તાન સરકાર દ્વારા મળીને કોરિડોર બનાવવામાં આવ્યું છે.

ભારતમાં પંજાબના ડેરા બાબા નાનકથી આંતરરાષ્ટ્રીય સરહદ સુધી કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો પાકિસ્તાન પણ સરહદથી નારોવાલ જિલ્લામાં ગુરુદ્વાર સુધી કોરિડોરનું નિર્માણ થયું છે. જે કરતારપુર સાહિબ કોરિડોર કહેવામાં આવે છે. કરતારપુર કોરિડોરને લઈ પાકિસ્તાનની ચાલ કેટલીક વખત સામે આવી ચૂકી છે.

આ પણ વાંચો :

ABOUT THE AUTHOR

...view details