ગુજરાત

gujarat

By

Published : Apr 25, 2021, 9:37 PM IST

ETV Bharat / bharat

શાસ્ત્રીય ગાયક પદ્મભૂષણ પંડિત રાજન મિશ્રાનું કોરોનાને કારણે નિધન

પદ્મ ભૂષણ પંડિત રાજન મિશ્રાનું કોરોના સંક્રમણને કારણે અવસાન થયું છે. તેમને દિલ્હીની સેન્ટ સ્ટીફન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ સારવાર દરમિયાન રવિવારના રોજ તેમનું મોત થયું હતું.

પંડિત રાજન મિશ્રા
પંડિત રાજન મિશ્રા

  • શાસ્ત્રીય ગાયક પદ્મભૂષણ પંડિત રાજન મિશ્રાનું કોરોના સંક્રમણને કારણે નિધન
  • સેન્ટ સ્ટીફન્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
  • વર્ષ 2007માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા

નવી દિલ્હી : ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પદ્મભૂષણ પંડિત રાજન મિશ્રાનું 70 વર્ષીની ઉંમરે રવિવારના રોજ કોરોના સંક્રમણને કારણે સેન્ટ સ્ટીફન્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. હૃદયની સમસ્યાને કારણે તેમને રવિવારના રોજ સેન્ટ સ્ટીફન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડૉકટર્સના અથાગ પ્રયત્નો છતાં તેમનો જીવ બચાવી શકાયો ન હતો.

આ પણ વાંચો -હિમાચલ પ્રદેશના પ્રખ્યાત લેખક બદ્રિસિંહ ભાટિયાનું નિધન

બનારસના છે પંડિત રાજન મિશ્રા

પદ્મભૂષણ રાજન મિશ્રા ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક હતા. તેમને બનારસના રહેવાસી હતા. વર્ષ 2007માં ભારત સરકાર દ્વારા તેમને કલાના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. દેશમાં જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશોમાં પણ તેમને પોતાની કલાનું પ્રદર્શન કરી નામના મેળવી હતી. રાજન અને સાજણ મિશ્રા બન્ને ભાઈઓ હતા અને સાથે મળીને તેમની કલાનું પ્રદર્શન કરતા હતા.

રાજન અને સાજણ મિશ્રા બન્ને ભાઈઓ હતા

આ પણ વાંચો -અભિનેતા અમિત મિસ્ત્રીનું હાર્ટ એટેકથી થયું નિધન

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને વ્યથા વ્યક્ત કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, શાસ્ત્રીય ગાયકની દુનિયામાં પોતાનું અમૃત છાપ છોડનારા પંડિત રાજન મિશ્રાના અવસાનથી ભારે શોક થયો છે. બનારસ ગૃહ સાથે સંકળાયેલા મિશ્રાનું પ્રસ્થાન એ કલા અને સંગીત જગતને ન પૂરાય તેવી ખોટ છે. આ શોકની ઘડીમાં તેમના પરિવાર અને ચાહકો સાથે મારી સંવેદના છે. ઓમ શાંતિ!

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને વ્યથા વ્યક્ત કરી હતી

આ પણ વાંચો -અભિનેતા અને નિર્માતા લલિત બહલનું કોરોનાથી મૃત્યુ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details