ગુજરાત

gujarat

By

Published : Apr 24, 2021, 9:32 AM IST

ETV Bharat / bharat

ઝારખંડથી ઉત્તર પ્રદેશ ટ્રેન મારફતે પહોચ્યો ઓક્સિજન

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોરોના ચેપના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની તંગી જોવા મળી રહી છે. આ જોતા રાજ્ય સરકારે બહારથી મેડિકલ ઓક્સિજન મંગાવ્યા છે. બીજી ઓક્સિજન એક્સપ્રેસ લખનઉ પહોંચી છે.

train
ઝારખંડથી ઉત્તર પ્રદેશ ટ્રેન મારફતે પહોચ્યો ઓક્સિજન

  • કોરોના મહામારીમાં ઓક્સિજનની તંગી
  • ઝારખંડથી ટ્રેન મારફતે મંગાવવામાં આવી રહ્યો છે ઓક્સિજન
  • મુખ્ય સચિવ કરી રહ્યા છે સમગ્ર મામને મોનિટરીંગ

લખનઉ : ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસ રોગચાળો ફાટી નીકળ્યો છે. રાજ્યની રાજધાની લખઉમાં કોરોનાથી હાહકાર થયો છે. તબીબી ઓક્સિજનના અભાવને કારણે કોરોના દર્દીઓના મૃત્યુના કિસ્સાઓ આવી રહ્યા છે.

લખનઇ બીજી ઓક્સીજન એક્સપ્રેસ પહોંચી

જોકે, રાજ્ય માટે થોડી રાહત છે. બીજી ઓક્સિજન એક્સપ્રેસ લખનઉ પહોંચી છે. આ ટ્રેન શુક્રવારે ઝારખંડના બોકારોથી મેડિકલ ઓક્સિજનથી ભરેલા ટેન્કર લઈને આવી હતી.

મુખ્ય સચિવ કરી રહ્યા છે મોનિટરીંગ

ઉત્તર પ્રદેશના અતિરિક્ત મુખ્ય સચિવ, ગૃહ અવનીશકુમાર અવસ્થી સતત આ ઓક્સિજન એક્સપ્રેસ પર નજર રાખી રહ્યા છે. જ્યારે ટ્રેન લખનઉ પહોંચ્યો ત્યારે તે પણ ત્યાં હાજર હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે ઓક્સિજન એક્સપ્રેસ ચાર ટેન્કર લઈને લખનઉ આવી છે અને આનાથી ઓક્સિજનનો અભાવ દૂર થશે. તેમણે કહ્યું કે બોકારો અન્ય સ્થળો કરતા લખનઉની નજીક છે, તેથી અમે અત્યારે બોકારો પાસેથી ઓક્સિજન મંગાઈએ છીએ.

લખનઉમાં આવશે હજુ એક ઓક્સિજન એક્સપ્રેસ

અતિરિક્ત મુખ્ય સચિવ ગૃહએ જણાવ્યું હતું કે,બોકારોથી ઉત્તર પ્રદેશ માટે ઓક્સિજનની ફાળવણી વધુ છે અને ત્યાં ઉપલબ્ધ પણ છે. તેથી જ આપણે ત્યાંથી સોર્સિંગ કરીએ છીએ. શુક્રવારે બીજી એક ઓક્સિજન એક્સપ્રેસ આવવાની અપેક્ષા છે. આ બે અથવા વધુ ટેન્કર દ્વારા ઓક્સિજન લાવશે. આ સાથે લખનઉમાં ઓક્સિજનનો અભાવ દૂર થશે.

રેકોર્ડતોડ કેસો

યુપીમાં કોરોના કેસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યો છે. શુક્રવારે, 37 હજારથી વધુ ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા હતા અને કોરોના વાઇરસના 199 લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં હાલમાં 2,73,653 સક્રિય કેસ છે. શુક્રવારે લખનઉમાં કોરોના ચેપના 5,682 નવા કેસ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details