- બદ્રીનાથમાં ઓનલાઈન પૂજા શરૂ
- ભક્તો માટે ઓનલાઈન બુકિગં શરૂ
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કરી પૂજા
ચમોલી: બદ્રીનાથ ધામના દરવાજા ખોલ્યા બાદ ઓનલાઇન પૂજા શરૂ થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ તિરથસિંહ રાવત, પર્યટન પ્રધાન સતપાલ મહારાજ, ઉચ્ચ શિક્ષણ પ્રધાન ડૉ ધનસિંહ રાવત અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત ઘણા ભક્તોએ પણ ઓનલાઇન પૂજા-અર્ચના કરી છે. તે જ સમયે, ભક્તો દ્વારા પૂજા માટે ઓનલાઇન બુકિંગ કરવામાં આવી રહ્યા છે. દેવસ્થાનમ બોર્ડ વતી કહેવામાં આવ્યું હતું કે ભક્તો ઘરે બેઠા બેઠા ઓનલાઇન બદ્રીનાથ ધામની પૂજા કરી શકે છે.
ઓનલાઈન બુકિંગ
દેવસ્થાનમ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી ઓનલાઇન પૂજા માટેની વેબસાઇટ www Devasthanam.uk.gov. inપર ઓનલાઇન પૂજા માટે બુકિંગ કરી શકાય છે. દેવસ્થાન બોર્ડના મીડિયા પ્રભારી ડો.હરીશ ગૌરે જણાવ્યું હતું કે, ઓનલાઇન પૂજા નોંધણી પછી ધર્મિધારી બદ્રીનાથ ભુવનચંદ્ર યુનિઆલ દ્વારા સંબંધિત વ્યક્તિ અને કુટુંબના નામના ઉચ્ચારણ સાથે બદ્રીનાથની પૂજા શરૂ કરવામાં આવશે.