- યોગી આદિત્યનાથ આજે નવી જનસંખ્યા નીતિની ઘોષણા કરશે
- જનસંખ્યા સ્થિરતા સપ્તાહનુ ઉદ્ગાટન પણ કરવામાં આવશે
- આજે વિશ્વ જનસંખ્યા દિવસ
લખનઉ : મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ(Chief Minister of the region Yogi Adityanath) રવિવારે વિશ્વ જન સંખ્યા દિવસ (World Population Day) પર ઉત્તર પ્રદેશ જનસંખ્ય નીતિ 2021-2030નુ વિમોચન કરશે. આ કાર્યક્રમ સીએમ આવાસ પર આયોજીત કરવામાં આવ્યો છે. આ દરમિયાન જનસંખ્યા સ્થિરતા સપ્તાહનુ ઉદ્ગાટન પણ કરવામાં આવશે.
માતા-બાળકના મૃત્યુદર ઓછો કરવાનો લક્ષ્ય
2021-2030 માટે પ્રસ્તાવિત નીતિના માધ્યમથી પરિવાર નિયોજન કાર્યક્રમના હેઠળ બહાર પાડવામાં આવેલા ગર્ભ નિરોધક ઉપાયોની સુલભતાને પ્રોત્સાહન આપવું અને સુરક્ષિત ગર્ભપાતની સમગ્ર વ્યવસ્થા આપવાની કોશિશ રહેશે. ઉન્નત સ્વાસ્થ્ય સુવિધાઓના માધ્યમ દ્વારા નવજાત મૃત્યુદર, માતૃદરને ઓછો કરવો, વંધ્યત્વ સમસ્યાનું સમાધાન ઉપલબ્ધ કરાવતા જનસંખ્યામાં સ્થિરતા લાવવાનો પ્રયાસ કરવો. આ સાથે આ નીતિનો ઉદ્દેશ 11થી 19 વર્ષના કોઈ પણ કિશોરના પોષણ, શિક્ષા અને સ્વાસ્થ્યને સુલભ પ્રબંધન અને વૃદ્ધોની સારસંભાળ વ્યાપક વ્યવસ્થા કરવું પણ છે.
અશિક્ષાનુ કારણ
આ પહેલા ગુરૂવારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આબાદી વિસ્તાર માટે ગરીબી અને અશિક્ષા માટે મોટુ કારણ છે. આ માટે સમાજમાં જનસંખ્યાને લઈને જાગૃતતાનો અભાવ છે. આ સમયે કેન્દ્રીત જાગૃતતા લાવી જરૂરી છે. પ્રદેશની નિવર્તમાન જન સંખ્યા નીતિ 2000-16ની અવધિ સમાપ્ત થઈ ચૂકી છે. હવે નવી નીતિ સમયની માગ છે.
આ પણ વાંચો : પ્રિયંકા-રાહુલનો BJP પર પ્રહાર, UPમાં હિંસાના નામે માસ્ટરસ્ટ્રોક