ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'તાઉ' છોરો સે કમ હે કે: 86 ના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને 65 ના મુખ્યપ્રધાનનો અભ્યાસમાં રસ - મનોહર લાલ ખટ્ટર જાપાનીઝ ભાષા

હરિયાણાના વયોવૃદ્ધ નેતાઓમાં શિક્ષણને લઈને ઘણો રસ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ્યાં 86 વર્ષીય પૂર્વ મુખ્યપ્રધાન ઓપી ચૌટાલા(Op chautala)એ બોર્ડની પરીક્ષા આપી હતી, ત્યારે હાલ 65 વર્ષીય વર્તમાન મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે(Manohar Lal Khattar) પણ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે.

OLD AGE LEADERS AND MINISTERS ARE COMPLETING THEIR SCHOOL COLLEGE STUDY IN HARYANA
OLD AGE LEADERS AND MINISTERS ARE COMPLETING THEIR SCHOOL COLLEGE STUDY IN HARYANA

By

Published : Aug 20, 2021, 7:56 PM IST

  • ખટ્ટર કરશે જાપાની ભાષામાં સર્ટિફિકેટ એન્ડ ડિપ્લોમા કોર્સ
  • પૂર્વ મુખ્યપ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાએ પણ આપી હતી પરીક્ષા
  • CM મનોહર લાલ ખટ્ટર કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં લેશે પ્રવેશ

ચંદીગઢ : દેશના વયોવૃદ્ધ નેતાઓમાં શિક્ષણને લઈને ખાસ રસ જોવા મળી રહ્યો છે. કેટલાક નેતાઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, તો કેટલાક યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ રહ્યા છે. બુધવારે જ 86 વર્ષના હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ઓ.પી.ચૌટાલા(Op chautala)એ 10 માં ધોરણનું પેપર આપ્યું હતું. જ્યારે હાલ 65 વર્ષના CM મનોહર લાલ ખટ્ટર(Manohar Lal Khattar) પણ ટૂંક સમયમાં કુરુક્ષેત્ર યુનિવર્સિટી(Kurukshetra University) માં પ્રવેશ માટે જઈ રહ્યા છે.

આ પણ વાંચો:અફઘાનિસ્તાનમાં તાલિબાની સત્તા, નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની વિદ્યાર્થીઓ ચિંતિત

જાપાની ભાષામાં સર્ટિફિકેટ એન્ડ ડિપ્લોમા કોર્સ

મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં જાપાની ભાષામાં સર્ટિફિકેટ એન્ડ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મનોહરલાલ પરિવારના પહેલા સભ્ય હતા, જેમણે 10 માં પછી પણ તેમનું શિક્ષણ ચાલુ રાખ્યું હતું.

પૂર્વ મુખ્યપ્રધાન ચૌટાલાએ અંગ્રેજીનું પેપર આપ્યું

હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાએ પણ તાજેતરમાં જ તિહાર જેલમાં હતા ત્યારે તેમની 10 મી અને પછી 12 મીની પરીક્ષા આપી હતી, પરંતુ તેમની 12 મીની પરીક્ષાનું પરિણામ રોકી દેવામાં આવ્યું હતું. ઓમપ્રકાશ ચૌટાલા 10 માં ધોરણમાં પાસ થયા હોવા છતાં તેમનું 12 માનું પરિણામ અટકી ગયું છે. કારણ કે 10 મામાં તે અંગ્રેજીમાં નાપાસ થયા હતા, એટલે જ તેણે બુધવારે ફરી અંગ્રેજીનું પેપર આપ્યું હતું. 9 વર્ષનો વિદ્યાર્થીની મલકીત 86 વર્ષીય ઓમપ્રકાશ ચૌટાલાનું પેપર લખવા માટે પણ પહોંચી હતી, કારણ કે ઓ.પી.ચૌટાલાની ઉંમર પુરી થઈ ગઈ હતી અને તેને હાથમાં ઈજા પણ થઈ હતી, તેથી તેણે એક લેખકની માંગણી કરી હતી.

આ પણ વાંચો:રાહુલની ટ્વિટ પર ખટ્ટરનો કટાક્ષઃ હરિયાણાથી મૂકાવો રસી

મનોહર લાલને બનવું હતું ડોક્ટર

ધોરણ 9 ની 14 વર્ષની વિદ્યાર્થીની મલકીતે તેમનું પેપર લખ્યું હતું. ઓ.પી.ચૌટાલાએ 2017 માં NIOS (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલ) માંથી 82 વર્ષની ઉંમરે 10 માં ધોરણમાં ઉર્દૂ, વિજ્ઞાન, સોશિયલ સ્ટડી અને ભારતીય સંસ્કૃતિ અને હેરિટેજ વિષયોમાં 53.40 ટકા માર્ક્સ સાથે પાસ કર્યું હતું. બીજી બાજુ મુખ્યપ્રધાન મનોહર લાલે એક વખત ડોક્ટર બનવા માંગતા હતા. એવું કહેવાય છે કે અભ્યાસમાં વિશેષ રસ ધરાવતા મનોહર લાલનું ડોક્ટર બનવાનું સપનું હતું, પરંતુ પારિવારિક સંજોગોને કારણે તેમનું સપનું પૂરું થઈ શક્યું નહીં. મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે પરીક્ષાની તૈયારી કરવા તે દિલ્હી પહોંચ્યા હતા, પરંતુ પરિસ્થિતિ એવી બની કે તે મેડિકલ કોલેજમાં પ્રવેશ લઈ શક્યા નહીં.

વૃદ્ધ હોવા છતાં અભ્યાસ

દિલ્હીના સદર બજારમાં કપડાની દુકાન, સંઘની શાળા, તેમજ દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક અને સંઘની પ્રવૃત્તિઓથી, તેમણે હરિયાણાના મુખ્યપ્રધાન પદનો માર્ગ ઘણા ઉતાર-ચઢાવ સાથે નક્કી કર્યો. જોકે, હવે ફરી એકવાર તેમને ભણવાનું મન બનાવી લીધું છે. ડોક્ટર નહીં, પરંતુ મુખ્યપ્રધાન ખટ્ટર જાપાનીઝ ભાષાનું જ્ઞાન ચોક્કસપણે મેળવી શકશે. આ બે નેતાઓ સિવાય દેશમાં બીજા ઘણા નેતાઓ અને પ્રધાનો છે જે વૃદ્ધ હોવા છતાં અભ્યાસ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details