- તોફાન યાસ 26મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાઓને પાર કરે તેવી સંભાવના છે
- રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)ના અધિકારીઓ સાથે બેઠક કરશે
- તોફાનને પહોંચી વળવાની તૈયારીઓ પર ચર્ચા કરશે
કોલકત્તા: ચક્રવાત તૌકતે બાદ હવે તોફાન યાસ 26મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાઓને પાર કરે તેવી સંભાવના છે. આ સંદર્ભમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)ના અધિકારીઓ સાથે બેઠક કરશે અને તોફાનને પહોંચી વળવાની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચોઃવડાપ્રધાન મોદી આજે ચક્રવાત યાસ પર સમીક્ષા બેઠક કરશે
પશ્ચિમ બંગાળ સરકારે ચક્રવાત 'યાસ'ને ધ્યાનમાં રાખીને તમામ સાવચેતીના પગલા લીધાં છે. મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ કંટ્રોલ રૂમમાં હાજર રહી પરિસ્થિતિનો હિસ્સો લેશે. અધિકારીઓએ આ અસર અંગે માહિતી આપી હતી.
આગામી 24 કલાકમાં ખૂબ જ તીવ્ર ચક્રવાત તોફાનનું નિર્માણ થઇ શકે છે
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ જણાવ્યું હતું કે, ચક્રવાત યાસ ઉત્તર, ઉત્તર પશ્ચિમ બાજુ વધવાની સંભાવના છે, જે 24મે સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે અને આગામી 24 કલાકમાં ખૂબ જ તીવ્ર ચક્રવાત તોફાનનું નિર્માણ થઇ શકે છે.
26મેની સવાર સુધીમાં પશ્ચિમ બંગાળની નજીક પહોંચશે