- નીતીશ કુમારે સાતમી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે લીધા શપથ
- રાજ્યપાલે નીતીશ કુમારને પદ અને ગોપનિયતાના લેવડાવ્યા શપથ
- તારકિશોર પ્રસાદ અને રેણુ પ્રસાદે નાયબ મુખ્યપ્રધાનના લીધા શપથ નીતીશ કુમારે સાતમી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે લીધા શપથ
પટના/બિહાર: નીતીશ કુમારે બિહારના મુખ્ય પ્રધાન તરીકે સોમવારે શપથ લીધા હતા. રાજભવનમાં આયોજીત શપથ સમારોહમાં રાજ્યપાલે નીતીશ કુમારને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના નેતાઓ રહ્યા હાજર
ભાજપ તરફથી તારકિશોર પ્રસાદ અને રેણુ પ્રસાદે નાયબ મુખ્યપ્રધાનના શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા, ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ સહિત ભાજપના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, રાષ્ટ્રીય જનતા દળે આ સમારોહનો બહિષ્કાર કર્યો હતો.
નીતીશ કુમારનું પ્રધાનમંડળ
- તારકિશોર પ્રસાદ (કટિહાર)
- રેણુ દેવી(બેટિયા)
- વિજય કુમાર ચોધરી(સરાયરંજન)
- વિજેન્દ્રપ્રસાદ યાદવ (સુપૌલ)
- અશોક ચૌધરી (વિધાન પરિષદ)
- મેવાલાલ ચૌધરી (તારાપુર, મુંગેર)
- શીલા કુમારી (ફૂલપરા, મધુબની)
- સંતોષકુમાર સુમન
- મુકેશ સહની
- મંગલ પાંડે (વિધાન પરિષદ)
- અમરેન્દ્ર પ્રતાપસિંહ (આરા)
- જીવેશ મિશ્રા (જાલે, દરભંગા)
- રામપ્રીત પાસવાન (રાજનગર, મધુબની)
- રામ સુરત રાય (ઓરાઈ, મુઝફ્ફરપુર)