ગુજરાત

gujarat

By

Published : Feb 16, 2021, 2:21 PM IST

ETV Bharat / bharat

ટૂલકિટ કેસ: નિકિતા અને શાંતનુના આગોતરા જામીન પર કોર્ટમાં સુનાવણી

દિલ્હી પોલીસે કહ્યું કે, નિકિતા અને શાંતનુ સામે ખેડુતોના આંદોલનથી જોડાયેલી કડી ટૂલકિટ બનાવવાના આરોપ ઉપર બિનજામીનપાત્ર વોરંટ રજૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, ટૂલકીટનો હેતુ ભારતની છાપને બગાડવાનો હતો. એક દિવસ પછી, દિલ્હી પોલીસ અધિકારીઓએ કહ્યું કે, તેઓ જૈકબ અને મુલુકની ધરપકડ કરવા માટે મુંબઇ, બેંગ્લોર અને બીડ સહિત ઘણા સ્થળોએ દરોડા પાડી રહ્યા છે.

દિલ્દી હાઇકોર્ટ
દિલ્દી હાઇકોર્ટ

  • નિકિતા અને શાંતનુ સામે ખેડૂતોના આંદોલનથી જોડાયેલી કડી
  • સોશિયલ મીડિયા ઉપર ખેડૂતોના આંદોલનથી જોડાયેલ 'ટૂલકિટ' શેર કરવાનો કેસ
  • જૈકબ દિલ્હી પોલીસના સાયબર સેલને સહકાર આપી

મુંબઇ : જળવાયુ કાર્યકર્તા ગ્રેટા થર્બન દ્બારા સોશિયલ મીડિયા ઉપર ખેડૂતોના આંદોલનથી જોડાયેલ 'ટૂલકિટ' શેર કરવાના કેસમાં દિલ્હી પોલીસ દ્બારા નોંધાયેલા કેસમાં આરોપી વકીલ નિકિતા જૈબક અને પર્યાવરણ કાર્યકર્તા શાંતનુ મુલુકએ ટ્રાંજિટ અગ્રિમ જામીન માટે બોમ્બે હાઇકોર્ટમાં ખસેડવામાં આવ્યા. બંન્નેએ કોર્ટમાં અલગ-અલગ અરજીઓ રજૂ કરી હતી. કોર્ટ અરજીઓ 5 મંગળવારે સુનવણી કરશે.


બિન જામીન પાત્ર વોરંટ રજૂ કર્યું


આ પહેલા દિલ્હીની એક કોર્ટે આ કેસમાં બંન્ને વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ રજૂ કર્યું છે. દિલ્હી પોલીસના અનુસાર, બંન્ને ઉપર દસ્તાવેજ તૈયાર કરવા અને ખાલિસ્તાન-સમર્થક તત્વોંના સીધા સમ્પર્કમાં હોવાનો ગુનો છે. જૈબકએ સોમવારે બોમ્બે હાઇ કોર્ટના ન્યાયાધીશ પી.ડી. નાઇકની સિંગલ બેન્ચને આ અરજીની તાત્કાલિક સુનવણી કરવાનો અનુરોધ કર્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, તેઓ મંગળવારે આ અરજી પર સુનાવણી કરશે. જૈકબે ચાર અઠવાડિયા માટે ટ્રાન્ઝિટ આગોતરા જામીન માંગ્યા છે, જેથી તે દિલ્હીમાં આગોતરા જામીન અરજી દાખલ કરવા માટે સંબંધિત કોર્ટનો સંપર્ક કરી શકે.

રાજકીય પ્રતિશોધક અને મીડિયા ટ્રાયલના કારણે ધરપકડ થઇ શકે

મધ્ય મહારાષ્ટ્રે બીડ જિલ્લાના નિવાસી મુકુલે પોતાની અરજી હાઇ કોર્ટની ઔરંગાબાદ બેંન્ચમાં નોંધ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આવેદક (જૈબક)ને ડર છે કે, તેમને રાજકીય પ્રતિશોધક અને મીડિયા ટ્રાયલના કારણે ધરપકડ થઇ શકે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ કેસમાં નોંધાયેલ FIR 'ખોટી અને પાયાવિહોણી' છે અને જૈબક અત્યાર સુધીમાં દિલ્હી પોલીસના સાયબર સેલને સહકાર આપી રહ્યો છે અને નિવેદન પણ નોંધ્યું છે.

26 જાન્યુઆરી 2021ના થયેલી હિંસાનો દોષ

અરજીમાં કહ્યું છે કે, લીગલ રાઇટ્સ આબ્ર્જવેટરી નામની સંસ્થાએ દિલ્હી પોલીસ સમક્ષ ખોટી અને નિરાધાર ફરિયાદ નોંધાવી છે અને 26 જાન્યુઆરી 2021ના થયેલી હિંસાનો દોષ આવેદક ઉપર લગાવવાની કોશિશ કરી છે.

જૈબકના ઘરે તપાસ વોરંટની સાથે દિલ્હી પોલીસે પહોંચી હતી

અરજીના અનુસાર, 11 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે જૈબકને મુમ્બઇના ગોરેગાંવ વિસ્તારમાં આવેલા જૈબકના ઘરે તપાસ વોરંટની સાથે પોંહચી હતી અને કેટલાક દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક સાધનો કબજે કર્યા હતા. તેમના મતે, અરજદાર પાસે જાગૃતિ ફેલાવવા અથવા હિંસા, તોફાનો અથવા કોઈપણને શારીરિક નુકસાન પહોંચાડવા માટે સંશોધન, ચર્ચા, સંપાદન પેક/ટૂલકિટનો કોઈ ધાર્મિક, રાજકીય અથવા નાણાકીય હેતુ અથવા એજન્ડા નથી.

જૈબકની ખાનગી જાણકારીઓ સોશિયલ મીડિયા પર વાયરલ

તેની અનુસાર, જૈબક મુંબઇ હાઇકોર્ટમાં વકીલ છે અને પર્યાવરણ સંબંધી કેસ માટે સ્વેચ્છાએ કાર્ય કરે છે. આવેદનમાં કહ્યું કે, આવેદન હાલમાં જ પસાર થતા ખેડૂત આંદોલનને લઇને અને ખેડૂતોના વિલન તરીકે દર્શાવવા માટે ખૂબ જ ચિંતિત છે. તેના મુતાબિક, જૈબકની ખાનગી જાણકારીઓ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

ખેડૂતોના પ્રદર્શનને સમર્થન આપતા ગ્રેટા થનબર્ગને 'ટૂલકિટ' પ્રદર્શનને ટેકો આપ્યો

આવેદનમાં કહેવામાં આવ્યું કે, તેમનું નામ આમ આદમી પાર્ટી(આપ) જેવા રાજનૈતિક દળોની સાથે સંબંધ હોવાનો દાવો કરવા જૈબકના વિરુદ્ધ નફરત તથા હિંસા ભડકાવવા માટે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. કેન્દ્રના ત્રણ કાયદાના વિરુદ્ધ દિલ્હીથી લાગેલ સરહદો પર ખેડૂતોના પ્રદર્શનના સમર્થન આપતા જળવાયુ પરિવર્તન કાર્યકર્તા ગ્રેટા થનબર્ગને આ 'ટૂલકિટ' પ્રદર્શનને ટેકો આપ્યો હતો.

ટૂલકિટમાં ટ્વીટરથી અભિયાનનો ટ્રેંડ કરાવવા માર્ગદર્શિકા અને સામગ્રી

ટૂલકિટમાં ટ્વીટરના મારફતે અભિયાનનો ટ્રેંડ કરાવવા જરૂરી માર્ગદર્શિકા અને સામગ્રી છે. અમુક લોકોનું કહેવું છે કે, ટૂલકિટ ભારતમાં પ્રદર્શનોને હવા આપીને તેમના કાવતરાના પુરાવા છે.

ABOUT THE AUTHOR

...view details