ગુજરાત

gujarat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર

By

Published : May 17, 2021, 7:04 AM IST

દેશ-દૂનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY
NEWS TODAY

  • 18થી 44 વર્ષના લોકોનું કોરોના રસીકરણ
    18થી 44 વર્ષના લોકોનું કોરોના રસીકરણ

હિમાચલ પ્રદેશમાં આજે 17મે સોમવારથી 18થી 44 વર્ષના લોકોનું કોરોના રસીકરણ શરૂ થશે.

  • મુખ્યપ્રધાન શિવરાજની મહત્વપૂર્ણ કોરોના સમીક્ષા બેઠક કરશે
    મુખ્યપ્રધાન શિવરાજ સિંહ

મધ્યપ્રદેશમાં આજે સોમવારે મુખ્યપ્રધાન શિવરાજની મહત્વપૂર્ણ કોરોના સમીક્ષા બેઠક કરશે. આમા રાજ્યના બાકીના જિલ્લાઓની કોરોના સમીક્ષા પછી કર્ફ્યુ પર વિચારણા કરવામાં આવશે.

  • મધ્યપ્રદેશમાં વાવાઝોડાની અસર રહેશે
    મધ્યપ્રદેશમાં વાવાઝોડાની અસર

મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં આજે તૌકતે વાવાઝોડાની અસર રહેશે. મોટાભાગના શહેરોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

  • પ્રભુરામ ચૌધરી ઉજ્જૈન પ્રવાસ ઉપર
    પ્રભુરામ ચૌધરી

મધ્યપ્રદેશના જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન પ્રભુરામ ચૌધરી આજે સોમવારે ઉજ્જૈન પ્રવાસ પર જશે.

  • રાજસ્થાનમાં આજે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિની વર્ચ્યુઅલ બેઠક યોજાશે
    રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિની વર્ચ્યુઅલ બેઠક યોજાશે

રાજસ્થાનમાં 21 મેના રોજ રાજીવ ગાંધીના બલિદાન દિવસના કાર્યક્રમ અને કોરોનાના બચાવની કોંગ્રેસની કાર્યવાહીને લઇને આજે સોમવારે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિની વર્ચ્યુઅલ બેઠક યોજાશે. પીસીસી પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા, પ્રભારી મહામંત્રી અજય માકન, મુખ્યપ્રધાન અશોક ગેહલોત, પ્રધાનો, પીસીસી અધિકારીઓ, તમામ ધારાસભ્યો, રાષ્ટ્રપતિઓ અને આગોતરા સંગઠનોના નેતાઓ સમ્મેલનમાં હાજર રહેશે.

  • હિંમંતા બિસ્વા સરમા કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરશે
    હિંમંતા બિસ્વા

અસમના મુખ્યપ્રધાન હિંમંતા બિસ્વા સરમા આજે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરશે.

  • ઓડિશામાં બે દિવસ માટે 11 જિલ્લાઓને યલ્લો એલર્ટ
    ઓડિશામાં યલ્લો એલર્ટ

ઓડિશામાં ભારત હવામાન વિભાગ (IMD)ના પ્રાદેશિક કેન્દ્ર દ્વારા વાવાઝોડાને લઇને આગામી બે દિવસ માટે રાજ્યના 11 જેટલા જિલ્લાઓને યલ્લો એલર્ટ જાહેર કવામાં આવ્યું છે.

  • જગન્નાથ મંદિરમાં 15 જૂન સુધી ભક્તો ઉપર રોક
    જગન્નાથ મંદિર

પુરીમાં શ્રી જગન્નાથ મંદિરમાં દર્શન માટે આજથી 15 જૂન 2021 સુધી ભક્તોની ઉપર રોક લગાવવામાં આવશે.

  • સાંસદ સુભાષ સરકાર મોબાઇલ ઓક્સિજન માટે ઇનોગ્રેશન કરશે
    સુભાષ સરકાર

પશ્ચિમ બંગાળમાં બાંકુરાના ભાજપના સાંસદ સુભાષ સરકાર મોબાઇલ ઓક્સિજન સુવિધા માટે ઇનોગ્રેશન કરશે.

  • ભાજપ ચૂંટણી પછીની હિંસામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને 5 લાખ વળતર પેટે આપશે
    હિંસામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને 5 લાખ વળતર

પશ્ચિમ બંગાળમાં ભાજપ ચૂંટણી પછીની હિંસામાં પક્ષના જે કાર્યકરો મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારજનોને 5 લાખ વળતર પેટે આપશે.

ABOUT THE AUTHOR

...view details