1.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે કોવિડ -19 રસીકરણની પ્રથમ ડ્રાય રન યોજાશે
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે કોવિડ -19 રસીકરણની પ્રથમ ડ્રાય રન યોજાશે અમદાવાદમાં આજે સિવિલ હોસ્પિટલમાં કોવિડ -19 રસીકરણની પ્રથમ ડ્રાય રન, પ્રાથમિક તબક્કે 25 હેલ્થ કેર વર્કરોને રસી અપાશે
2.કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આજથી ગુજરાતના 10 દિવસીય પ્રવાસે
કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આજથી ગુજરાતના 10 દિવસીય પ્રવાસે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આજથી ગુજરાતના 10 દિવસીય પ્રવાસે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે યોજશે પ્રેસ કોન્ફરન્સ
3.વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોચ્ચિ-મંગલરુ ગેસ પાઈપલાઈનનું ઉદ્ધાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોચ્ચિ-મંગલરુ ગેસ પાઈપલાઈનનું ઉદ્ધાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોચ્ચિ-મંગલરુ પાઈપલાઈનનું ઉદ્ધાટન વીડિયો કોન્ફેસિંગ માધ્યમથી કરશે. આ પાઈપલાઈન ઘરોને પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી)ના રુપમાં પર્યાવરણને અનુકુળ અને આર્થિક બળતણની સપ્લાઈ કરશે અને પરિવહન ક્ષેત્રે સીએનજી આપશે. 450 કિલોમીટર લાંબી પાઈપલાઈનનું નિર્માણ ગેસ (ભારત) લિનિટેડે કર્યું છે.
4. RSSના વડા મોહન ભાગવત આજે સમન્વયની બેઠકમાં લેશે ભાગ
RSSના વડા મોહન ભાગવત આજે સમન્વયની બેઠકમાં લેશે ભાગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ અને તેની સાથે જોડાયેલ અનેક સંગઠનોની રાષ્ટ્રીય બેઠક ગાંધીનગરમાં આજથી શરુ થઈ રહી છે. 7 જાન્યુઆરી સુધી ચાલનારી આ બેઠકમાં સંધ પ્રમુખ મોહન ભાગવત અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ ભાગ લેશે.
5. ખેડૂત આંદોલનનો આજે 41મો દિવસ
ખેડૂત આંદોલનનો આજે 41મો દિવસ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આજે કૃષિ આંદોલનનો 41મો દિવસ છે. ખેડૂતો સતત નવા કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, જ્યાં સુધી કાયદો પરત લેવામાં નહિ આવે ત્યાં સુધી આ પ્રદર્શન ચાલુ રહેશે.
6.એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ બીજા તબક્કાની પ્રક્રિયા આજથી શરુ
.એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ બીજા તબક્કાની પ્રક્રિયા એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટનો બીજો તબક્કો આજથી શરુ થશે. જેમાં બોલી લગાવનાર નામોની જાહેરાત કરવામાં આવશે. પ્રકિયાને 2 તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં બોલી લાગનાર તરફથી એક્સપ્રશન ઑફ ઈન્ટેરેસ્ટ પ્રસ્તુત કરવામાં આવી છે. હવે પાત્રતા માનદંડ અને પ્રારંભિક સૂચનાના આધારે અન્ય શરતોની સાથે તેમની પસંદગી કરવામાં આવશે.
7 ભારતીય ક્રિકેટ ટીમ સિડની જવા રવાના
ભારતીય ક્રિકેટ ટીમ સિડની જવા રવાના ભારતીય ક્રિકેટ ટીમ સિડની માટે રવાના થઈ છે. જ્યાં તેમને 7 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ રમશે. ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓને ટ્રેનિંગ સિવાય હોટલની બહાર જવાની મનાઈ કરી છે.
8. કેરળમાં આજથી સિનેમાઘરો ખુલશે
કેરળમાં આજથી સિનેમાઘરો ખુલશે કેરળમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરી આજથી સિનેમાઘરો ખોલવામાં આવશે. કોરોના વાયરસની મહામારી બાદ સંક્રમણને રોકવા માટે માર્ચ 2020થી સિનેમાઘરોને બંધ કરવામાં આવ્યા હતા. સિનેમાઘરોમાં બેઠક વ્યવસ્થા 50 ટકામાં જ કરવામાં આવશે.
9.માલેગાંવ બ્લાસ્ટ મામલે આજે સુનાવણી
માલેગાંવ બ્લાસ્ટ મામલે આજે સુનાવણી સોમાવારના રોજ મુંબઈની એનઆઈએ કોર્ટ 2008ના માલેગાંવ બ્લાસ્ટ મામલે સુનાવણીને મંગળવાર સુધી સ્થગિત કરી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલે આજે સુનાવણી કરવામાં આવશે. સોમવારના ભાજપના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર એનઆઈએ સામે રજુ થશે. આ પહેલા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને બે વખત કોર્ટની સામે રજુ થઈ ન હતી.
10.ભારતના પૂર્વ ક્રિકેટર અને સૈફ અલી ખાનના પિતા મન્સુર અલી ખાનનો પટોડીનો જન્મ દિવસ.
.ભારતના પૂર્વ ક્રિકેટર અને સૈફ અલી ખાનના પિતા મનશુર અલી ખાનનો પટોડીનો જન્મ દિવસ સૈફ અલી ખાનન પિતા મન્સુર અલી ખાન પટૌડી, જે પટૌડીના આઠમાં નવાબ અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન હતા.સૈફ અલી ખાનના પિતા મન્સુર અલી ખાનનો પટોડીનો જન્મ દિવસ છે.