લખનૌ: રાજધાનીમાં પોતાની માતાની હત્યા કરનાર 16 વર્ષનો પુત્ર પોલીસને એક ગુમનામ પાત્રની વાર્તા સંભળાવી રહ્યો હતો. તે કહી રહ્યો હતો કે, તેણે મારી માતાની હત્યા કરી છે, પરંતુ એક વ્યક્તિ હતો જેણે પોલીસ સામે ખોટું બોલીને બચવા માટે ટ્રેનિંગ આપી હતી. સગીરને નિવેદન ગોખાવ્યું અને તેને સાધના સિંહની હત્યા કરતા બચવા માટે સ્ક્રિપ્ટ લખીને આપી, પરંતુ તેને શું ખબર કે પિસ્તોલ તેના રહસ્યો ખોલશે. માતાની હત્યા કર્યા બાદ 3 દિવસ સુધી મૃતદેહને છુપાવનાર પુત્રએ ગોખેલું સ્ટેટમેન્ટ ઉચ્ચાર્યાની અઢી મિનિટ પછી જ પોલીસ સમક્ષ સત્ય કહી દીધું.
આ પણ વાંચો:પુત્ર બન્યો જનેતાનો હત્યારો : હત્યાનું કારણ જાણીને તમેં પણ ચોંકિ જશો...
પિતા બાદ પોલીસને બતાવી પિસ્તોલ: પીજીઆઇના યમુનાપુરમમાં 7 જૂનના રોજ, સાધના સિંહની હત્યાની માહિતી મેળવ્યા પછી, યમુનાપુરમના તે ઘરે પહોંચેલા ઇન્સ્પેક્ટરને કહ્યું કે, તેણે આરોપી પુત્રને ગેટ પર ઊભો જોયો. જાણે તે પોલીસ આવવાની રાહ જોઈ રહ્યો હતો. તેણે કહ્યું કે, મારી માતાની હત્યા એક વ્યક્તિએ કરી છે. તે પણ રોજ ઘરે આવતો હતો. તે પછી તે પોતે અમને અંદર લઈ ગયો. ઘરમાં પ્રવેશતાની સાથે જ પહેલા રૂમમાં રાખેલા ડાઈનિંગ ટેબલ પર નવીન સિંહની ગન એન્ડ શેલ ફેક્ટરી(Gun & Shell Factory), કોલકાતામાંથી બનેલી પિસ્તોલ રાખવામાં આવી હતી. દીકરાએ પહેલા પિસ્તોલ બતાવી. પોલીસે પૂછ્યું કે અહીં પિસ્તોલ શા માટે રાખી છે, જેના જવાબમાં પુત્રએ કહ્યું હતું કે, તમને ફોન કરતા પહેલા પિતાને વિડિયો કોલ કરીને પિસ્તોલ બતાવીને આનાથી જ માતાની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું એટલે કે તે દરમિયાન તેણે તેની માતાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. તે સ્પષ્ટ છે કે, આરોપી પુત્ર ગેટની બહાર પિસ્તોલ બતાવતી વખતે બોલવાનું ભૂલી ગયો હતો અને તેણે કબૂલાત કરી હતી કે તેણે પિતાને કહ્યું હતું કે, તેણે પિસ્તોલથી હત્યા કરી હતી. આટલું જ નહીં સ્થળ પર કબૂલાત બાદ પોલીસ એવું પણ કહી રહી છે કે, આરોપી આકાશ નામના ઈલેક્ટ્રિશિયન પર છેવટ સુધી હત્યાનો આરોપ લગાવતો હતો.