- મંગળવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ
- ભક્તો કરશે તન, મન અને ધનથી માતાની પૂજા
- નવરાત્રિમાં 70 વર્ષ પછી અનેરો સંયોગ
ન્યુઝ ડેસ્કઃ ચૈત્રી નવરાત્રી આવતીકાલે 13 એપ્રિલથી શરૂ થઈ રહી છે. તેમજ 21 એપ્રિલ 2021ના રોજ માતાનું નવમું નોરતુ હશે. આ સાથે જ નવરાત્રીના ઉપવાસ તારીખ 22 એપ્રિલના રોજ હશે.
માતાના આ રૂપોની કરવામાં આવે છે પૂજા
13 એપ્રિલના રોજ સૌથી પહેલા ઘાટ સ્થાપનાની સાથે શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. ઘાટ સ્થાપનાનું ઘણું મહત્વ છે. ઘટ સ્થાપના સમયે પરિવારના બધા સભ્યો માતાની પૂજા કરે છે. વિધિ-વિધાનથી પોતાના ઘરમાં કળશ રાખે છે અને માતાની પૂજા કરે છે. કળશની સ્થાપનાની સાથે તેમા વિવિધ નદીઓના પાણી નાખી અને વાસ્તુ દોષને દુર કરવા માટે ઉપયોગી વસ્તુઓને અર્પણ કરવામાં આવે છે. જેમાં રૂપિયા ઈલાયચી સહિત અન્ય કેટલીય વસ્તુઓ કળશમાં રાખવામાં આવે છે. કળશને નાળિયેર અને કેરીના પાનથી ઢાકવામાં આવે છે, ત્યારબાદ કળશની નજીક માટલામાં તળાવની શુદ્ધ માટી લઈ તેમાં ઘઉં રાખવામાં આવે છે. ઘટ સ્થાપનાના પહેલા જ દિવસથી, તેમાં પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આ વિધિને જવારા વાવવાનું કહેવામાં આવે છે. માન્યતા અનુસાર, આ જવારા જેટલા મોટા થશે તેટલી પરિવાર અને દેશ સહિત વિશ્વમાં વધુ સમૃદ્ધિ થશે. આ સાથે જ ભક્તો પ્રથમ દિવસથી જ તન, મન અને ધનથી માતાની પૂજા કરવાનું શરૂ કરે છે.
14 એપ્રિલના રોજ માતા બ્રહ્મચારિણીની પૂજા
ઘાટ સ્થાપનાના બીજા દિવસે બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પરિવારના બધા સભ્યો સવારે વહેલા ઉઠી સફેદ કપડાં પહેરીને માતાની પૂજા કરે છે. માતાની વિધિ-વિધાન દ્વારા પૂજા કરવામાં આવે તો ચોક્કસ લાભ થાય છે.
15 એપ્રિલના રોજ માતા ચંદ્ર ઘંટાની પૂજા
નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્ર ઘંટાની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, એવું કહેવામાં આવે છે કે, માતાનું આ સ્વરૂપ માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન દરમિયાનનું છે. આ દિવસે પીળા રંગના કપડા અથવા અન્ય પીળા રંગની સામગ્રી માતાને અર્પણ કરવામાં આવે છે. તેનું ખૂબ મહત્વ છે.
આ પણ વાંચોઃ બેચરાજી મંદિરમાં સતત બીજા વર્ષે સાદગીપૂર્ણ રીતે ચૈત્રી નવરાત્રિની ઉજવણી
ચોથા દિવસે માતા કુષ્મંડળની કરાઈ છે પૂજા
નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્મંડળની પૂજા કરવામાં આવે છે. કુષ્માંડા માતા સિંહની સવારી કરે છે. તેમના આઠ હાથ છે. તેમજ કુષ્માંડા માતાને લીલા રંગની સામગ્રી ખૂબ પ્રિય છે. જો પરિવારના સભ્યો લીલા રંગની સામગ્રીથી તેમની પૂજા કરે તો એકદમ લાભ થાય છે.
પાંચમાં દિવસે માતા સ્કંદની પૂજા