હરિદ્વાર: ઉત્તરાખંડની ધામી સરકાર ચારધામ યાત્રાની (Chardham Yatra 2022) જાહેરાત પર કરોડો રૂપિયા ખર્ચે છે. જેથી કરીને દેશ વિદેશના યાત્રાળુઓ ચારધામમાં દર્શન કરવા હેતું આવે. એટલું જ નહીં સરકાર પ્રવાસીઓને ખાતરી પણ આપે છે કે, ઉત્તરાખંડ તમારા માટે સુરક્ષિત છે, પણ પરિસ્થિતિ વિપરીત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Narendra Modi) અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પણ ચારધામની (Chardham Yatra 2022) મુલાકાત લેવા માટે દેશવાસીઓને અપીલ કરી ચૂક્યા છે. પણ છેલ્લા કેટલાક દિવસોથી પ્રવાસીઓ સાથે ગેરવર્તણૂંક (Misbehave with Devotees) અને મારપીટ થઈ હોવાના કેસ સામે આવી રહ્યા છે.
સુરક્ષાની ખુલી પોલ - ઉત્તરાખંડની-અતિથિ દેવો ભવની છબી ખરડાઈ રહી છે. તા.3 મેના રોજ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખૂલ્યા બાદ ચારધામ યાત્રા (Chardham Yatra 2022) શરૂ થઈ ગઈ હતી. જેમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ભક્તો સાથે થયેલી ગેરવર્તણૂંક અને મારપીટની ઘટનાના કેસ જોવા મળ્યા હતા. જે ક્યાંકને ક્યાંક શ્રદ્ધાળુઓની સુરક્ષા પર સવાલ ઊભા કરે છે. શ્રદ્ધાળુઓ સાથે મારપીટ થયા હોવાની સૌથી વધારે ઘટના હરિદ્વારમાંથી સામે આવી રહી છે. તા.1 મેના રોજ હરિદ્વાર રેલવે સ્ટેશન પાસે બહારથી આવેલા ભાવિકો પેટ્રોલ પંપ પર ફ્યૂલ ભરાવી રહ્યા હતા ત્યારે પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ ગઈ હતી. પણ પેટ્રોલ પંપ સ્ટાફની ભૂલની જાણકારી પોલીસને (Haridwar Police) આપવામાં ન આવી. એવામાં પેટ્રોલ પંપના સ્ટાફે પ્રવાસીઓને ઢોરમાર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો છે.