ન્યુઝ ડેસ્ક : સત્ય નડેલા 2014થી માઈક્રોસોફ્ટના CEO છે. તેમના પુત્રનો ઈલાજ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. જૈનના મૃત્યુ બાદ હોસ્પિટલના સીઈઓ જેફ સ્પેરિંગે બોર્ડને એક સંદેશમાં જણાવ્યું હતું કે, 'જૈનને તેમની સંગીતની પસંદગી માટે યાદ કરવામાં આવશે.' તેમની શાનદાર મુસ્કાનથી તે દરેક વ્યક્તિને ખુશી મળતી હતી જે તેમને પ્રેમ કરતા હતા.
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલાના પુત્રનું 26 વર્ષની ઉંમરમાં થયું નિધન - Satya Nadella passes away
માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાના પુત્રનું નિધન થઈ ગયું છે. નડેલાના પુત્ર જૈનને જન્મથી જ સેરેબ્રલ પાલ્સી નામની બીમારી હતી. માઈક્રોસોફ્ટે તેના એક્ઝિક્યુટિવ સ્ટાફને ઈમેલ દ્વારા આ અંગે જાણકારી આપી હતી. માઈક્રો સોફ્ટ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે જૈનનું અવસાન સોમવારે સવારે થયું હતું.

BIG BREAKING
અપડેટ ચાલું છે...
Last Updated : Mar 1, 2022, 12:58 PM IST