ગુજરાત

gujarat

આગ્રામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, 8ના કમકમાટી ભર્યા મોત

ઉત્તરપ્રદેશના આગ્રામાં એક મોટો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સ્કોર્પિયોમાં 12 લોકો હતા, જેમાં 8 લોકોનાં મોત નીપજ્યાં છે અને 4 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે.

By

Published : Mar 11, 2021, 8:37 AM IST

Published : Mar 11, 2021, 8:37 AM IST

આગ્રામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો
આગ્રામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો

  • ઉત્તર પ્રદેશના આગ્રામાં મોટો અકસ્માત સર્જાયો
  • ટ્રક અને સ્કોપીયો વચ્ચે ગમખ્વાર અકસ્માત
  • અકસ્માત સર્જાતા 8 લોકોનાં મોત, 4 ઘાયલ

લખનઉ: આગ્રામાં ટ્રક અને સ્કોપીયો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ સાથે જ 4 લોકોની હાલત પણ ગંભીર હોવાનું જણાવાયું છે. જ્યારે, સ્કોર્પિયોમાં 12 લોકો હતા. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો:આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, 6ના મોત

તે જ સમયે, મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘટના પોલીસ સ્ટેશન ઇત્માદૌલાની મંડી સમિતિ પાસેની છે. સ્કોર્પિયોમાં બેઠેલા બધા બિહારના રહેવાસી હતા.

ABOUT THE AUTHOR

...view details