- પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે આપી કોરોનાને માત
- 10 દિવસની સારવાર બાદ દિલ્હી AIIMSમાંથી અપાઈ રજા
- કોરોનાગ્રસ્ત થતા તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓએ સ્વસ્થ થવા કરી હતી પ્રાર્થના
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને કોરોનાના લક્ષણો જણાતા તેમને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા તેમને 19 એપ્રિલના રોજ દિલ્હી ખાતે AIIMS ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કોરોનાને માત આપતા તેમને ગુરૂવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.