ગુજરાત

gujarat

By

Published : Jun 30, 2023, 3:22 PM IST

ETV Bharat / bharat

Manipur Violence: મણિપુરમાં રાજકીય સંકટ ઘેરાયું, CM બિરેન સિંહ આપી શકે છે રાજીનામું

પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં મુખ્યપ્રધાન બિરેન સિંહ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. તેઓ રાજ્યપાલને મળીને રાજીનામું આપી શકે છે.

મુખ્યપ્રધાન
મુખ્યપ્રધાન

ઇમ્ફાલઃહિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરમાં રાજકીય સંકટ વધુ ઘેરાવાની સંભાવના છે. ચર્ચા છે કે રાજ્યના મુખ્યપ્રધાન એન.બિરેન સિંહ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. આ સંબંધમાં તેઓ આજે બપોરે રાજ્યપાલને મળશે. જો કે તેમના રાજીનામાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વિપક્ષ લાંબા સમયથી તેમના રાજીનામાની માંગ કરી રહ્યો છે. રાજ્યમાં ભાજપની સરકાર છે.

રાજ્ય સરકાર પર દબાણ:મણિપુરમાં વંશીય હિંસા સાથે રાજકીય સંકટ વધુ ઘેરાવાની શક્યતા છે. રાજ્ય છેલ્લા બે મહિનાથી જાતીય હિંસાથી ઘેરાયેલું છે. આ દરમિયાન વિપક્ષ સતત રાજ્ય સરકાર પર દબાણ બનાવી રહ્યું છે. વિરોધ પક્ષોએ મુખ્યપ્રધાન એન બિરેન સિંહના રાજીનામાની માંગ કરી છે. તેમનો આરોપ છે કે સરકાર રાજ્યમાં શાંતિ સ્થાપવામાં નિષ્ફળ રહી છે.

રાહુલ ગાંધી અસરગ્રસ્તોને મળ્યા: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજ્યના પ્રવાસે છે. શુક્રવારે રાજ્યમાં તેમનો બીજો દિવસ છે. તે હિંસાથી પ્રભાવિત લોકોને મળ્યા. તેઓ રાજ્યપાલને મળ્યા હોવાની પણ ચર્ચા છે. રાહુલ ગાંધીએ મોઇરાંગ શહેરમાં બે રાહત શિબિરની મુલાકાત લીધી હતી. તેઓ સવારે હેલિકોપ્ટર દ્વારા મોઇરાંગ પહોંચ્યા અને અસરગ્રસ્ત લોકોને મળ્યા અને તેમની ફરિયાદો સાંભળી. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે રાહુલે જે બે શિબિરોની મુલાકાત લીધી તેમાં લગભગ 1000 લોકો રહે છે.

મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા: મેની શરૂઆતમાં મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી વંશીય હિંસામાં 100 થી વધુ લોકોના મોત થયા છે. મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (ST)ના દરજ્જાની મૈતેઈ સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં 'આદિવાસી એકતા કૂચ'નું આયોજન કરવામાં આવ્યું તે પછી અથડામણો શરૂ થઈ. મૈતેઈ સમુદાય જે મણિપુરની 53 ટકા વસ્તી બનાવે છે, મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં રહે છે. તે જ સમયે, નાગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પહાડી જિલ્લાઓમાં રહે છે.

  1. Manipur Violence: મણિપુરમાં પીડિતોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું - "હૃદયદ્રાવક"
  2. UCC Bill: યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોદી સરકાર મોટો નિર્ણય લઈ શકે, આગામી સત્રમાં ચર્ચા

ABOUT THE AUTHOR

...view details