ગુજરાત

gujarat

ETV Bharat / bharat

West Bengal News: ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના કાફલાની કાર અથડાતાં એક વ્યક્તિનું મોત

પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા શુભેંદુ અધિકારીના કાફલામાં સામેલ કાર અથડાયા બાદ એક વ્યક્તિ ઘાયલ થયો છે. જેનું બાદમાં હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

By

Published : May 5, 2023, 1:51 PM IST

Man dies after car in Shubhendu Adhikari's convoy hits: Locals allege
Man dies after car in Shubhendu Adhikari's convoy hits: Locals allege

કોલકાતા:પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના ચાંદીપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા શુભેન્દુ અધિકારીના કાફલામાં કથિત રીતે સામેલ કાર તેની સાથે અથડાતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. સ્થાનિક લોકોએ આ દાવો કર્યો હતો. જો કે પોલીસે હજી સુધી પુષ્ટિ કરી નથી કે આ વાહન નંદીગ્રામના સાંસદ અધિકારીના કાફલામાં સામેલ હતું કે નહીં. આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે થયો હતો જેના પગલે સ્થાનિકોએ એક કલાકથી વધુ સમય સુધી રસ્તો બ્લોક કરી દીધો હતો.

સ્થાનિક લોકોનો આક્ષેપ:સ્થાનિકોનો આક્ષેપ છે કે અકસ્માત બાદ પણ કાફલો રોકાયો ન હતો. જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતક શેખ ઈસરાફિલ પેટ્રોલ પંપ પાસે નેશનલ હાઈવે (NH) પાર કરી રહ્યો હતો ત્યારે રાત્રે લગભગ 10.30 વાગ્યે એક કારે તેને ટક્કર મારી. તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. અધિકારીના જણાવ્યા મુજબ લોકો દાવો કરે છે કે આ કાર શુભેન્દુ અધિકારીના કાફલાનો ભાગ હતી પરંતુ અમે હજી સુધી આની પુષ્ટિ થઇ નથી.

આજના મુખ્ય સમાચાર

Talati Exam 2023: તલાટી પરિક્ષાર્થી માટે દોડશે ખાસ ટ્રેન, દરેક સેન્ટરને જોડતા રૂટ નક્કી થયા

Talati Exam 2023: ST જ નહીં ખાનગી બસ સંચાલકો પણ મદદ કરી શકશે, ઉમેદવારોએ ભાડું દેવાનું રહેશે

Rajkot news: રાજકોટમાં નકલી પનીર મામલે ફૂડ વિભાગના સતત ત્રીજા દિવસે દરોડા

રસ્તો બ્લોક: અધિકારી કે બીજેપીના અન્ય કોઈ નેતાએ આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી ન હતી. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા મોઈનામાં પાર્ટીના એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. ઘટના બાદ લોકોએ થોડીવાર માટે રસ્તો બ્લોક કરી દીધો હતો. પરંતુ બાદમાં પોલીસ અધિકારીઓની સમજાવટથી તે રાજી થઈ ગયો હતો અને રસ્તો ખાલી કર્યો હતો. કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે રસ્તા પરના વાહનો તેમની સ્પીડ લિમિટમાં દોડતા નથી, જેને રોકવા માટે પગલાં લેવા જોઈએ.

(PTI)

ABOUT THE AUTHOR

...view details