ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને લીધી આડેહાથ, BJP બદલો લેવાની રાજનીતિ કરતી હોવાનો લગાવ્યો આરોપ - પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ બુધવારના કહ્યું છે કે, પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ ભાજપે બદલો લેવાની પોતાની રાજનીતિનું અનુસરણ કરતાં તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓની વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ શરૂ કરી દીધો છે.

BJP રાજકીય કારણોસર અભિષેક બેનર્જીને નિશાન બનાવી રહી છે
BJP રાજકીય કારણોસર અભિષેક બેનર્જીને નિશાન બનાવી રહી છે

By

Published : Sep 8, 2021, 8:37 PM IST

  • મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર લગાવ્યા અનેક આરોપ
  • ભાજપ પર લગાવ્યો બદલાની રાજનીતિ કરવાનો આરોપ
  • રાજકીય કારણોસર અભિષેકને નિશાન બનાવી રહી છે BJP: મમતા
  • કોવેક્સિન અને કોવિશીલ્ડ લેનારાઓને અન્ય દેશમાં એન્ટ્રી ન મળવાના મુદ્દે ઊઠાવ્યો પ્રશ્ન

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, " કોવેક્સિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા હજુ સુધી માન્યતા મળી નથી. પરિણામે ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થીઓ સહિત ઘણા ભારતીયો વિદેશમાં જઈ શકતાં નથી. આવી સ્થિતિમાં કોવેક્સિનનો ડોઝ લેનારા વડાપ્રધાનને US પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાને દેશના લોકોને સ્પષ્ટતા કરવી જોઈએ." મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે, "કેટલાક દેશો કોવિશીલ્ડ ડોઝ લેતા ભારતીયોને પ્રવેશની મંજૂરી આપી રહ્યા નથી. નવી દિલ્હી આવા મુદ્દાઓ પર ચૂપ કેમ છે?"

રાજકીય કારણોસર અભિષેકને નિશાન બનાવવામાં આવી રહ્યા છે

આ ઉપરાંત ભવાનીપુર પેટાચૂંટણી માટે ચૂંટણી અભિયાન શરૂ કરનારા તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ના સુપ્રીમોએ એ આરોપ લગાવ્યો કે ભગવા પાર્ટી રાજકીય કારણોસર પાર્ટીના મહાસચિવ અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને નિશાન બનાવી રહી છે.

બેઠકમાં કોવેક્સિન મુદ્દે PM પર પ્રહાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રના તેમના પક્ષના કાર્યકરોની બેઠકમાં, પેટાચૂંટણીની જાહેરાત થયા બાદ પ્રથમ વખત કોવેક્સિન મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.

ભાજપ વિધાનસભા ચૂંટણીમાં બીજા રાજ્યોથી ગુંડા લઇને આવ્યું: મમતા

મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે, અભિષેકની વિરુદ્ધ કોઈ કાયદેસરનો કેસ નથી. ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સોમવારના અભિષેક બેનર્જીની પશ્ચિમ બંગાળમાં કથિત કોલસા કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. મમતાએ કહ્યું છે કે, "અમે ફક્ત એ જાણીએ છીએ કે અમે વિધાનસભા ચૂંટણી જીતવા માટે તમામ અડચણોનો સામનો કરતા કેવા પ્રકારની લડાઈ લડી. વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ બીજા રાજ્યોથી ગુંડાઓ લઇને આવ્યું હતું. મારે આ પેટાચૂંટણી એટલે લડવી પડી, કેમકે મારી વિરુદ્ધ (નંદીગ્રામ)માં ષડયંત્ર રચવામાં આવ્યું હતું."

બદલો લેવાની રાજનીતિ કરી રહ્યું છે ભાજપ: પ. બંગાળ CM

મમતા બેનર્જીને આ વર્ષની શરૂઆતમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ સીટથી ભાજપના શુભેંદૂ અધિકારીએ હરાવી દીધા હતા. મુખ્ય પ્રધાનના પદ પર બન્યા રહેવા માટે તેમણે આ પેટા ચૂંટણી જીતવાની જરૂર છે. તેમણે કહ્યું કે, "ભાજપ બદલો લેવાની રાજનીતિ કરતા અભિષેક બેનર્જીને નિશાન બનાવી રહી છે. પેટાચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદથી કેન્દ્રીય એજન્સીઓ દ્વારા TMC નેતાઓને બોલાવવામાં આવી રહ્યા છે."

વધુ વાંચો:

વધુ વાંચો: વિધાનસભા પહોંચવાનો 'દીદી'નો માર્ગ ખૂલ્યો, પશ્ચિમ બંગાળમાં 3 સીટો પર પેટાચૂંટણીની જાહેરાત

વધુ વાંચો:ભવાનીપુર બેઠક પરથી પેટાચૂંટણી લડશે મમતા બેનર્જી

ABOUT THE AUTHOR

...view details